SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] . [ ૪૧ ટીકાકાર મહર્ષિ આ વાકયમાં કહી રહ્યા છે કે સિદ્ધોને તે આપણું પર અતીવ ઉપકાર છે માટે તેઓ તે અવશ્ય નમસ્કરણીય છે. જ્યાં સુધી આપણે તેમની ઉપકારીતાને ન સમજીએ, બીજા ની ઉપકારીતાની સિદ્ધોની ઉપકારીતા સાથે સરખામણી ન કરીએ ત્યાં સુધી તેઓ અતીવ ઉપકારી છે તે કેવી રીતે સમજાય? માટે પહેલાં તે તેમની ઉપકારીતાને જ સમજવાની છે. અરિહંતે તે રાગ-દ્વેષ વિનાના હોવા છતાં ય ઉપદેશ દાન વડે આપણું ઉપકારી બની શકે છે પણ સિદ્ધો આપણું ઉપકારી કેવી રીતે બને ? નથી તે ઉપદેશ આપતા કે નથી તે જિનેશ્વર ભગવંતની મૂતિની માફક આપણે તે સિદ્ધ આત્માના દર્શન–વંદન કે પૂજન કરી શકતા. તે લેકના છેડે બિરાજેલા એ આપણું ઉપકારી થવાના કેવી રીતે? જેઓ આપણને કાંઈ આપતા નથી, જેઓ આપણું પાસેથી દુર્ગણો કે દેજો લઈ શકતા નથી તેઓ ઉપકારી કેવી રીતે બને તે સામાન્ય રીતે વિચારતા મુશ્કીલ જ લાગવાનું. અરિહંતની માફક આચાર્ય ભગવંત, ઉપાધ્યાય ભગવંત અને સાધુ ભગવંતોને ઉપકાર તે સમજમાં આવે પણ સિદ્ધોને ઉપકાર સમજમાં આવતા નથી. પણ સમજમાં ન આવે તેથી ગભરાવાની જરૂર નથી. ગુરૂનો અર્થ શું છે? ગુરૂ એ જ કે જે અજ્ઞાનના–અણુસમજના અંધકારમાં પ્રકાશ પાથરે. ટીકાકાર મહર્ષિએ એને જવાબ આપે જ છે કે...સ્વવિષયપ્રદપ્રત્પાદનનપિતાના વિષયક પ્રમોદને પ્રકર્ષ પેદા કરવાથી, તેઓ અતીવ ઉપકારી છે. સિદ્ધોના ઉપકારને સમજવા માટે જરા ઊંડા ચિંતનની જરૂર છે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy