SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] [ ૪૧૭ અજાણું છે છતાં ય તેમને મોક્ષની આકાંક્ષા છે અને મોક્ષને માનનારે–તેના માટે કઈ પણ અનુષ્ઠાન કરનારે કિયાવાદી તે કહેવાય . શાસ્ત્રીય દૃષ્ટિએ આવા આત્માને સંસાર માત્ર એક પુદ્ગલપરાવર્તન જ બાકી રહ્યો કહેવાય. મોક્ષમાર્ગના સાધનની અપવિત્રતા દૂર થઈ જાય અને તેના પૂર્ણ સાધનો તે આત્માને મળી જાય તે અવશ્ય તેવા આત્માઓનું કલ્યાણ થઈ જાય. ' શાસનું શ્રવણું થતાં વિવિધ વાદીઓનું વર્ણન સાંભળવા મળે. તે વિવિધ વાદીઓમાં અજ્ઞાન–મેહ વગેરે દેખાય પણ ત્યાં સાચે જેન તિરસ્કાર ન કરે. તે તે ઈચછે કે જ્યારે આ આત્માઓ શાસનરાગી બને-શાસન પામે અને મોક્ષનું અનંત સ્થાન મેળવે ! અત્રે આપણે જે નમે સિદ્ધાણં' પદને વિચાર કરીએ છીએ તે પદમાં પિતાનું સ્થાન પ્રાપ્ત કરે. નમે સિદ્ધાણું” આ પદની આપણે વિવિધ અર્થોવડે વિચારણું કરી રહ્યા છીએ. અહીં પૂ. ટીકાકાર મહર્ષિ ત્રીજો અર્થ બતાવતાં કહે છે કે –“સિદ્ધાઃ નિષ્કિતા” સિદ્ધઓ કૃતકૃત્ય છે. સિદ્ધ એટલે કૃતકૃત્ય. હવે તેમને બાકી કશું જ રહેતું નથી! બાકી, એટલે અપૂર્ણ. જ્યાં સુધી અપૂર્ણ હોય ત્યાં સુધી હવે શું કરવાનું બાકી? એ પ્રશ્ન થાય. ભૂમિમાં બીજ વાવ્યા બાદ ઊગવાનું બાકી કહેવાય, ઊગ્યા બાદ ફળ આપવાનું બાકી કહેવાય, પણ ફળ આવ્યા બાદ તે તે પૂર્ણતાને પામ્યું, ત્યાં બાકી શું ? બીજને પૂર્ણરૂપે વિકાસ થવાથી ફળ બન્યું. તમે કેઈન રૂા. ૧૦૦ લીધા હોય અને ૫૦ રૂા. પાછા આપ્યા, ૭૫ પાછા આપ્યા, ૮૫ પાછા આવ્યા ત્યાં ૨૭
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy