SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ - 1 - - - - - - - - - - ૨૯૮ ] [ શ્રી સિદ્ધપદ એ પણ વિકલ્પ તેમને પેદા ન થયે પણ તેને ય કેવળજ્ઞાન પ્રાપ્તિ માટે સહાયક ઉપકારી મા. જે તેમના અંતરમાં પ્રશમ રસનો ઝરે ન વહેતે હેત તો આવા દુઃખ સહન કરી શકત? જ્યાં સુધી પ્રશમનું મહા સુખ અનુભવાતું નથી ત્યાં સુધી દુઃખ સહન કરવાની તાકાત પેદા થતી નથી. તમારા વ્યવહારની જ વાત કરો ને. જયારે તમે ખણખણતા રૂપિયા ગણવાના આનંદમાં મોજ કરી રહ્યા હોવ ત્યારે વાતાવરણના દુઃખો, ગરમી-ઠંડીનો અનુભવ કયાં ચાલી જાય છે? દુકાન પર ધ ધ કરવા બેસે છે ત્યારે માથું ફાડી નાખે તેવી લીયા–દયાની રાડો પણ દુઃખ આપી શકે છે ખરી? અહીં પણ દુઃખ સહન કરવાની તાકાત એનામાં જ પેદા થઈ શકે છે કે જે કોઈ સુખમાં–આનંદમાં મગ્ન બનીને બેઠા હોય, તે આટલા અનગલ દુઃખને સહનાર કેઈ સુખમાં મસ્ત ન બને હોય તેમ બને ખરૂ ? માટે માનવું જ પડે છે કે ભગવાન વસ્થાવસ્થામાં પણ વિરાગના-કષાયની શાંતતાના એવા સુખમાં મહાલી રહ્યા છે કે સંસારના કોઈ પણ દુઃખો તેમની નજીકમાં પહોંચતા પહેલાં જ નિઃમત્ત્વ બની જાય છે. તેમને લવ માત્ર પણ ચલિત કરી શકતા નથી. બીજી એ પણ વાત વિચારો કે જેને એ નિશ્ચય થયે હોય કે રૂપિયાની પ્રાપ્તિ કરતાં ભેજન ખાવામાં વધારે આનંદ છે તે ભેજન માટે રૂપિયા છેડી શકે કે નહિ? એટલા માટે જ તો ધન તમને અત્યંત પ્રિય હોવા છતા પણ તમે મે જશેખમાં, ખાવા-પીવામાં કેવા આનંદથી બગાડી શકે છે? શાથી? પૈસા પાસે રહે તેથી સુખ નથી મળતું, માટે?
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy