SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ' ૨૯૫ વિવેચન કરી દે છે. એ તેા કદી ય મનવા જોગ નથી કે વીતરાગી ભાવ સિવાયના આત્મા સુખી કે દુઃખી એ અવસ્થા છેાડીને કોઈ ત્રીજી દશામાં વિચરતા હોય. ત્યારે જો તે કાયાત્સગ માં સ્થિત મહાત્માએ દુઃખી અવસ્થામાં હોય તે। આટલી વાર સ્થિર કેવી રીતે રહી શકે ? કેાઇએ તેમને બાંધી પડીને તા ત્યાં બેસાડયા નથી ? ત્યારે માનવ જ પડે છે કેાઇ એવા સુખને તે અનુભવી રહ્યા છે કે જેને તેમના સિવાય અન્ય કાઈ અનુભવી શકતું નથી. કાયાત્સગ માં સ્થિત મહામુનિએને જે સુખ છે તે સ્પષ્ટ જ છે કે કષાયેાની મંદતાના કારણે જ છે. જ્યારે કષાયેાની મંદતા આવું સુખ આપી શક્તી હોય ત્યારે કષાયેાના આમૂલલ નાશ કેમ અત્યંત સુખ આપી ન શકે ? શાસ્રના દૃષ્ટાંતે નથી સાંભળ્યા ? ખંધક મુનિની ચામડી ઉતારવા મારાએ આવ્યા ત્યારે તેમણે શું કહ્યું હતુ. ખબર છે? જરા વિચાર તેા કરકે, આપણી ચામડી તે શું પણ તમારા પેાતાના શરીરના હિત માટે ડોકટર ઈંજીકશન મારશે તેવુ ં સાંભળે છીએ ત્યારે તમને ભય પેદા થાય છે. તે વખતે ય એમ થાય છે કે ઇંજીકશન લીધા વિના મટી જતુ હોય તેા કેવું સારૂં? ત્યારે આ તે ખુલ્લી છરી લઈને સામે મારા ઉભા છે. રાજાને હુકમ લઈને આવ્યા છે એટલે પાછા જવાને ય કોઇ સવાલ નથી. એકાદ આંગળી કે અંગુઠા નથી કાપવાને સારા ય શરીરની ચામડી ઉતારવાની છે. તે ચામડી પણુ બહેરી કરીને નહીં કે દવા સુંઘાડીને નહીં જીવતી જાગતી ચામડીને આંખની સામે ઉતારવાની છે તે ય આવા વખતે ખધક મુનિ મારાએને કહે છેઃ “ ભાઇ ! જરા ઉભા રહેા, તમે કાંઇ મારા દુશ્મન નથી. મારા પર ઉપકાર કરવા આવ્યા છે, ઊપકારીની સગવડ સાચવવી એ મારૂ કન્ય
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy