SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - વિવેચન ] " [ ૨૯૩ શકે તેવી શક્તિવાળે હોય પણ તમારા પ્રયાસથી તેમ કરતો અટકી જાય તે કેટલો આનંદ થાય ? જે આમ એક વખત પણ જગતના કેટલાક પ્રાણીઓને દુઃખમાંથી બચાવી લેવાથી સુખ મળે તે જે ત્રણેય કાળ, સારા ય જગતના સૂફમ, બાદર, નાના-મોટા બધા જ પ્રાણીઓને પિતાના તરફથી થતાં દુઃખમાંથી મુક્ત કરી દે તો કેટલે આનંદ મળે? આમ અન્ય ને પોતાના તરફથી દુખી નહીં બનાવવાના આનંદની ચરમ સીમા સિધિગતિ સિવાય કયાંય નથી. માટે સિધનો આનંદરૂપ આ અનુભવ પણ ગજબ છે. જ્યાં સુધી આ આત્મા સિદ્ધિગતિને પામતે નથી ત્યાં સુધી એક યા બીજી રીતે જાણતા કે અજાણતા આત્માં કેટલાય પ્રાણીઓનો સંહાર કરનાર બને છે. પિતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે ભયંકરમાં ભયંકર હિંસા કરે છે. જરા વિચાર કરો કે, આજની દુનિયાના ભયંકરમાં ભયંકર હત્યારાઓ સિદ્ધિગતિમાં હતા તે તેમનાથી કેઈને નુકશાન થયું હોત ખરું ? માટે સિદ્ધિગતિમાં પહોંચનાર આત્માએ પ્રાણીની કેટલી દયા કરી છે તેનો હિસાબ કરી જ ન શકાય. આવી દયાની અનંતરાશિથી કેટલું સુખ પ્રગટ થાય તે તે અનુભવ કરનારને જ ખબર પડે. જેને દયા કરવાને “ક્ષમા” કેળવવાનો અનુભવ નથી તેને તે મેપક્ષના સુખની કલ્પના માત્રથી ય ખ્યાલ આવવાનો નથી, પણ જે ક્ષમા ” “દયા” અહીંસા આદિ ગુણામાં આગળ વધ્યા હશે તેમને મોક્ષનું સુખ નહીં સમજાય એ બનશે જ નહિ અને તેઓ મોક્ષનું આ વાસ્તવિક સુખ સમજશે એટલે સંસારમાં કયાંય તેના જેવુ સુખ છે કે નહીં એ પ્રશ્નનો જવાબ પોતે જ પામી જશે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy