SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ - ન * ૨૦૬ ] શ્રી સિદ્ઘપદ પણ એ પહેલાં થોડી શાબની વાત પણ સમજી લે કે, ઉપચારકોને કહેવાય–વસ્તુ કોને કહેવાય? અને વાસ્તવિક વસ્તુ કોને કહેવાય. આ દુનિયાના તમામ પઢાર્થો એક-બીજાની સાથે જેવી રીતે કોઈક અંશે મળતાં આવે છે, અર્થાત્ સમાન છે તેવી રીતે એક-બીજાથી કોઈ ને કોઈ અપેક્ષાએ જુદા પણ છે.... છે..ને છે..જ... જેમ જીવ'માં અને આકાશમાં અસ્તિત્વરૂપ ધર્મ કે પદાર્થ સ્વરૂપ ધર્મ બંનેમાં છે. પણ આકાશમાં જેમ અવગાહના આપવાનો–બીજી વસ્તુને સ્થાન આપવાને સ્વભાવ છે તેવો સ્વભાવ આત્માને નથી. કે બીજા કેઈ દ્રવ્યનો પણ નથી. માટે તે જગના બીજા બધા પદાર્થ કરતાં જુદુ છે. તેમ “ચેતના” કે ઉપગરૂપ ધર્મ જેવો જીવમાં તે બીજા કોઈનામાં નથી. માટે તે પણ દુનિયાના બીજા બધા જ પદાર્થોથી જુદો છે. આમ દરેક પદાર્થ પોતપોતાના લક્ષણથી જુદા છે. જ્યાં પદાર્થ ન હોય ત્યાં પણ તે પદાર્થની કઈ કારણસર કલપના કરવી પડે તેનું નામ ઉપચાર જેમ જીવને સમજાવવા માટે કોઈ ચિત્ર દેરીએ કે આકાશને સમજાવવા માટે આકૃતિ દેરી તેને આકાશ કે, જીવ એવે વ્યવહાર કરીયે તે તે ચિત્રમાં કે આકૃતિ જીવને કે આકાશનો ઉપચાર કર્યો કહેવાય. જેમ કોઈ રાજકુંવરનો રાજ્યાભિષેક નક્કી થઈ ગયે હોય કે કોઈ શેઠને એક જ છોકરો હોય, અને શેઠ વૃદ્ધ થવા આવ્યા હોય તે બધા લોકો તે યુવરાજને કે શેઠના
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy