SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ - વિવેચન ] - [ ૧૯૩ સાંભળ્યું જેનું મત ન થયું હોય? અમર બનીને આ દેહમાં રહ્યો હોય ? કેઈને વહેલું તો કઈને મોડું પણ આ શરીરરૂપી ઘર છેડ્યા વિના ચાલવાનું જ નથી. ભૂતકાળમાં અનંત તીર્થકર થઈ ગયા. અનંત ગણધરે, અનંત ચક્રવતીએ, રાજા-મહારાજા થઈ ગયા, પણ કેઈનેય આ ભાડાનું ઘર ખાલી કર્યા વિના છુટકે જ નથી. બધા જ અહીંથી વિદાય લઈ ગયા છે. જેણે જેટલી વધારે મુદતનું ભાડું ભર્યું હોય તે તેટલું વધારે વખત રહી શકે. અને જેણે ઓછી મુદતનું ભાડું ભર્યું હોય તેને જલ્દી ખાલી કરવું પડે. ' જાણે છે કે, આયુષ્ય નામનું કર્મ છે, એ પુરૂં થયું કે ભાડું ખલાસ. પછી કોઈ એક સેંકડ વધુ ન રહી શકે. અહીં તે ખાલી કરાવવા પહેલા માલિક વિનંતી કરે છે, નોટીસ આપે છે. પણ આ દેહને ખાલી કરવા પડે છે ત્યારે નથી તે કઈ વિનંતી કરતું કે નથી કોઈ સમાચાર આપતું. એ તે જે ક્ષણે, જે સમયે આયુષ્ય પૂર્ણ થયું તે ક્ષણે, અને તે જ સમયે ઘર ખાલી કરવું જ પડે. અહીંથી જશે પછી બીજે સારી ચા ખરાબ જણ્યા મળશે? કેવી રીતે જશે? એ કશું વિચારવાને સમય મલતે હી. કેમને? " જેમ દવે ઓલવાઈ જાય ને તે જ ક્ષણે અંધકાર ફેલાઈ જાય તેમ જે ક્ષણે આયુષ્યકર્મ ખલાસ થાય તે જ ક્ષણે આ દેહ ખાલી કરવા પડે છે. * ; , ,
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy