SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ [ શ્રી સિદ્ધપદ વને નાશ થઈ ગયે હેત તે ખાંડની મીઠાશ દૂધ કે ચામાં આવી શકી હોત ખરી ? પણ સાચી વાત સમજવી હોય તે એ છે કે ખાંડ એ સઘન છે. એને દૂધમાં મળી જવા માટે પ્રવાહી થવાની જરૂર પડે. અને ઓગળી જાય એટલે પાણીની માફક દૂધમાં ભળી જાય. પણ તેથી કંઈ તેના અસ્તિત્વને નાશ થયે તેમ ન કહેવાય. જે એક દુધના પ્યાલામાં ખાંડ નાંખ્યા જ કરશો તે માલુમ પડશે કે દૂધ વધતું જાય છે. જે ખાંડના અસ્તિત્ત્વને નાશ થયે તે દૂધમાં વધારે કેવી રીતે થયે? દૂધના કદ અને વજનમાં થયેલે વધારે એ ખાંડને જ છે. દૂધના પ્યાલામાં ખાંડ નાંખતા જ નાંખતા જ જશે તે અમુક વખત પછી એ પણ સમય આવશે કે તેમાં નાખેલી ખાંડ નીચે જમા થઈ જશે, પણ બિલકુલ ઓગળશે જ નહીં. આમ થવાનું કારણ એ જ છે કે દુધમાં સાકર સમાવાની હવે તાકાત નથી. માટે દુનિયાના કોઈપણ પદાર્થનું એકીકરણ થઈ શકતું જ નથી. માત્ર એક-બીજા પદાર્થો એક-બીજાને મળે, એક-બીજામાં ભળે, એકબીજા એક-બીજાને સમાવેશ કરે તેવું બને પણ એ કદી ય ન બની શકે કે એ ભેગી થનારી ચીજમાંથી કઈ પણ ચીજના અસ્તિત્વને નાશ થાય. આપણું સ્થૂલદષ્ટિથી આપણને બે ચીજોમાંથી કોઈ પણ એક ચીજનું પરિવર્તન થયા બાદ સ્વતંત્ર રીતે દેખાતી નથી. માટે આપણે સ્કૂલરષ્ટિથી–વ્યવહારથી કહીએ છીએ કે એકમેક થઈ ગયું. વિલીન થઈ ગયું. પણ આવી રીતે બને જ નહીં. જે દુનિયામાં એક ચીજ બીજી ચીજમાં એવી રીતે મળી જતી હોય કે તે બેમાંથી કોઈનું પણ અસ્તિત્વ
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy