SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન] [૧૫૩ વિકપ મગજને ક્ષુબ્ધ બનાવી દે. અને લઈ જવાનો વિચાર આવે ત્યાં જ સાચવવાની ચિંતા, રક્ષણ કરવાની રમખાણ ચિત્તમાં હળી સળગાવવી શરૂ કરી દે. જેટલી વાર સાચવી રાખી હોય તેટલી વાર સ્વાર્થવૃત્તિતા હૃદયને દુઃખ આપ્યા કરતી જ હોય, વળી એમાં ભૂલેચૂકે તે ચીજ આવેલી પણ ચાલી ગઈ તે આખી જીંદગી સુધી રોદણ રડાવ્યા જ કરે. દીકરે તે ૪૦ વર્ષના થયા ત્યારે આબે, બે વર્ષ માટે જીવે અને મરી ગયે ત્યારે મેળવ્યું શું ? એટલે ૪૦ વર્ષ ઝંખનામાં કાઢયા, બે વર્ષ મૂઢતામાં અને એના રક્ષણમાં ગુમાવ્યા અને હવે જીવતર રહે ત્યાં સુધી યાદ કરી કરીને રોદણાં રડવાના જ રહ્યા ને ? આ બધી વૃત્તિમાં ચિત્ત સ્થિરતાપૂર્વક એંટી ગયું તે સમજી જ લેજો કે મર્યા. આવા આર્તધ્યાનમાં આયુષ્ય બંધાઈ જાય તે તિર્યંચનું જ આયુષ્ય બંધાય. જ્યાં ગયા પછી એટલી એવી દશા ભેગવવી પડે કે આંખની સામે ઘાસનો પૂળ પડે હોય તે ય ખીલેથી છૂટા થઈને એક તણખલું ખાવાનું ન મલે. પિતાનું બચ્ચું જ બાજુમાં બાંધ્યું હોય પણ પિતાની ઈચ્છા થાય ત્યારે તેને દૂધ પીવરાવવાની પણ સ્વતંત્રતા ન મલે. આમ જે ધ્યાન એટલે કે વિચારોની એકાગ્રતા સાક્ષાત કે પરંપરાએ પીડા, શોક, રૂદન બહારથી અને અંદરથી દીનતા, સંકુચિતતા, કાયરતા, નિસ્પૃહતા પેદા કરે તે બધું આર્તધ્યાન જ સમજવું રોકધ્યાન ઈષ્ટને મેળવવાના અને અનિષ્ટને દૂર કરવાના વિચારે જ્યારે તદ્દન વિવેકહીન બની જાય છે, ત્યારે આત્મા પાપ અને પુણ્યમાં, કર્તવ્ય અને અક્તવ્યમાં, પૂજ્ય અને
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy