SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન ] ( [ ૧૦૩ આ અબાધાકાળ નિયત હોય છે. આ કાળ પસાર થઈ ગયા બાદ જ તે બંધાયેલા કર્મો ઉદયમાં આવી શકે છે. પણ જેવું કર્મ બંધાય તેવું અને તેટલું જ કર્મ ઉદયમાં આવે તેવું બનતું નથી. કારણકે કર્મ બંધાયા પછી અનેકાનેક પ્રકારના ફેરફારો થાય છે.' આઠ કારણે તે બધાં ફેરફાર આત્માના સારા કે ખરાબ પ્રયત્ન ( અધ્યવસાય ) દ્વારા જ થાય છે. આત્માના આવા પ્રયનને “કરણ કહેવામાં આવે છે. આવા કરણે આઠ છે. (૧) બંધનકરણ. (૨) સંક્રમણકરણ. (૩) ઉદ્વર્તનાકરણ. (૪) અપવર્તનાકરણ. (૫) ઉદીરણુકરણ. (૬) ઉપશમનાકરણ. (૭) નિધત્તિકરણ. (૮) નિકાચનાકરણું. - સૌથી પ્રથમ બંધનકરણ છે. વિવક્ષિત કર્મબંધ સમયે આત્માનો જે ચોક્કસ પ્રકારને પરિણામ હોય છે તે બંધનકરણ કહેવાય છે. - જેનાવડે તે બંધાતુ કર્મ કર્મોની મૂલ ૮ પ્રકૃતિઓ તેમજ ઉત્તર ૧૫૮ પ્રકૃતિઓમાં જુદી જુદી રીતે વહેંચાઈ જાય છે. સૌથી પ્રથમ કરણ આ જ છે. બાકીના બધા જ કરણે આ કરણના પછી જ લાગી શકે છે. અર્થાત્ આત્મા સાથે સંબંદ્ધ થયેલે પ્રત્યેક કમને આ કરણ લાગે જ છે. - જેમ કે ઈમેટા મશીનમાં નાંખેલી વસ્તુઓ જુદા સંચામાં જુદા જુદા પ્રમાણમાં વહેંચાઈ જાય છે, તેમ આ કરણદ્વારા કર્મો પણ જુદી જુદી મૂળ તેમજ ઉત્તર પ્રકૃતિએમાં નિયમ મુજબ વહેંચાઈ જાય છે.
SR No.023150
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 03
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherKasturchand Zaveri
Publication Year
Total Pages554
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy