SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ શાસ્ત્રપ્રસ્તાવના ખલવયસ્ક એવા ય ભગવાનને ડરાવી શકે તેમ નથી.” એક દેવથી એ પ્રશંસા સહાઈ નહિ ઃ આ વાત તદ્દન સાચી હતી. જેવી હકીકત હતી, તેવી જ હકીકત ઇન્દ્રે કહી હતી. પણ ભગવાનની એવી પ્રશંસા ઈન્દ્રે કરી, એ એક સામાન્ય દેવથી સહન થઈ શકી નહિ. ૪૯ ભગવાનની એવી પ્રશંસા કરનાર ઈન્દ્રનું કથન અવિચારી છે, સ્વચ્છન્દી છે અને ઉદ્ધતાઈની એક ચેષ્ટા સમાન છે—એમ એ દેવને લાગે છે, પણ એ વખતે તે એ દેવ ઈન્દ્ર પોતાના સ્વામી છે' એમ સમજીને ચૂપ રહે છે. એ દેવ પોતાના સ્વામીની સામે નથી ખેાલતા, તે વિનયને કારણે નથી ખેલતા એમ નહિ; પણ એને ખખર છે કે- ઈન્દ્ર જો કાખ્યા, તા આપણું તે આવી જ બનશે.' જો એ દેવમાં વિનય હાત, તા તા અને વિચારેય આવત કે—‘ ઇન્દ્ર જેવા બલવાન પણ જ્યારે માલવયસ્ક એવા ય ભગવાનની ધીરતાની અને વીરતાની પ્રશંસા કરે છે, ત્યારે એમાં કાંઈક તત્ત્વ જરૂર હશે! દર્ષ્યાળુઓ ક્લિષ્ઠ પરિણામેામાં રમતા હોય છે ઃ પણ અહીં સ્વભાવદોષે જ અગત્યના ભાગ ભજળ્યેા છે. એ દેવ પોતે અત્યન્ત ક્લિષ્ટ પરિણામવાળા અને અતુલ મિથ્યાત્વને લીધે વિવેકહીન હતા. જેઓના પરિણામે। અત્યન્ત ક્લિષ્ટ હાય છે, તેઓ કેાઈની પણ સારી વાતને સહી શકતા નથી. કાઈની પણ પ્રશંસાને સાંભળતાં, હૈયામાં આનન્દ પ્રગટવા અને ઇર્ષ્યાના ભાવ પેદા નહિ થવા, એ પણ એક ગુણ છે. વિવેકને લઇને, પ્રશંસા વ્યાજબી છે કે નહિ અગર એ સ્થાને છે કે નહિ—એવા પ્રકારના વિચાર આવવા, એ જૂદી વસ્તુ છે અને
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy