SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના શ્રી મહાવીર નામની સ્થાપનાઃ આ પ્રકારે ભગવાનનાં માતા-પિતાએ ભગવાનનું વર્ધમાન એવું નામ સ્થાપિત કર્યું, જ્યારે ઈન્દ્ર ભગવાનનું મહાવીર” એવું નામ સ્થાપિત કર્યું. ઈન્દ્ર પણ ભગવાનનું મહાવીર એવું નામ જે સ્થાપિત કર્યું, તે ભગવાનના ગુણેને અનુલક્ષીને જ સ્થાપિત કર્યું. ઇન્દ્ર તો અવધિજ્ઞાની હોય છે. ઈન્દ્ર જોયું કે આ ભગવાન ઉપર ભારેમાં ભારે ઉપસર્ગો આવવાના છે, પરન્તુ ગમે તેવા ભયજનક ભારે ઉપસર્ગોથી પણ આ ભગવાન કંપાયમાન થવાના નથી અને ક્ષમાવત જ રહેવાના છે, માટે આ ભગવાનનું “મહાવીર” એવું નામ રાખવું, એ જ યંગ્ય છે. એમ સમજીને, ઇન્દ્ર ભગવાનનું શ્રી મહાવીર એવું નામ સ્થાપિત કર્યું. દષ્ટિબિન્દુને ફરક શાથી? ભગવાનનાં માતા-પિતાની દૃષ્ટિમાં અને અવધિજ્ઞાની. એવા ઈન્દ્રની દષ્ટિમાં, કેટલો બધો ફરક છે–એને તમને ખ્યાલ આવે છે? ઈન્દ્ર વિવેકી છે, માટે ઈન્દ્રની આભ્યન્તર દૃષ્ટિ છે અને ભગવાનનાં માતા-પિતા અવિવેકી છે માટે તેમની બાહ્ય દૃષ્ટિ છે, એવું નથી. ઈન્દ્ર વિવેકી છે, તે ભગવાનનાં માતા-પિતા કાંઈ અવિવેકી નથી. બને ય વિવેકગુણથી સંપન્ન હોવા છતાં પણ, એકની દૃષ્ટિ ગુણ તરફ છે અને બીજાની દષ્ટિ પુણ્યપ્રકર્ષ તરફ છે, તેનું કારણ શું ? મુખ્ય કારણ તે એ જ છે કે-ઈન્દ્રને ભગવાનના ગુણોના સંબંધમાં જેવું જ્ઞાન છે, તેવું જ્ઞાન ભગવાનનાં માતા-પિતાને નથી. ઈન્દ્ર અવધિજ્ઞાની છે, એટલે ભગવાન પોતાના જીવન દરમ્યાન ભારેમાં
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy