SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ર્ષિએ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીનું નામ દઈને જે નમસ્કાર કર્યો છે તે વ્યાજબી ઠરે છે. કેઈ પૂછે કે-આ પહેલા સ્લેકમાં જે પંદર વિશેષણ કહ્યાં, તે પંદર વિશેષણોવાળા આત્માઓ. કેવા હોય તો એમ કહી શકાય કે ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના ચરિત્રને જોઈ લે. ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના ચરિત્રને જોતાં, તમને લાગશે કે-એ પંદર વિશેષણથી કથનીય સઘળું ય એ તારકમાં યથાસ્થિતપણે હતું.” કરવા ધારેલા કાર્યને વધુમાં વધુ સમ્બન્ધ જેવીસમા ભગવાન સાથે હોવાથી તેઓના નામનું ઉચ્ચારણ અત્ર, એ વાત પણ ધ્યાન બહાર જવી જોઈએ નહિ કે “અત્યાર સુધીમાં, એક માત્ર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી જ એવા થઈ ગયા છે, કે જે ટીકાકાર મહર્ષિએ પહેલા. કમાં વાપરેલાં પંદરેય વિશેષણોને સુયોગ્ય હતા અને અન્ય કેઈપણ આત્મા એ થયો જ નથી એવું છે જ નહિ.” ટીકાકાર મહર્ષિએ પહેલા શ્લોકમાં વાપરેલાં પંદરે પંદર વિશેષણ જેઓશ્રીને માટે યથાસ્થિતપણે, તદ્દન વ્યાજબીપણે જ વાપરી શકાય એવા આત્માઓ તે, અત્યાર સુધીમાં અનન્તા થઈ ગયા છે. એવા આત્માઓ ભવિષ્યમાં પણ અનન્તા થવાના છે. એવા આત્માઓ વર્તમાનમાં શ્રી મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન પણ છે. આમ છતાં પણ, બીજા કેઈ પણ ભગવાનના નામનું ઉચ્ચારણ નહિ કરતાં, ટીકાકાર મહષિએ અત્ર માત્ર ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના જ નામનું ઉચ્ચારણ કર્યું, તો તેનું કારણ શું? આપણને એ વાત કબૂલ છે કે–એવા આત્માઓ અનન્તા થઈ ગયા છે, પણ એ અન
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy