SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને એવું કરે જ નહિ. ઉપરાન્ત, ભગવાન શ્રી જિનેશ્વરદેવે અને એ તારકેને અનુસરનારા મહાપુરૂષ આદિ પ્રત્યે તે, એને ભક્તિભાવ ખૂબ જ વધી જાયકારણ કે-જ્યારે જીવને ભગવાન શ્રી જિનેશ્વરદેવના અને એ તારકેના માર્ગને અનુસરનારા મહાપુરૂષોના ઉપકારનો સાચો ખ્યાલ આવે છે, ત્યારે તો એને એમ થઈ જાય છે કે-“મારા અનન્તાનન્ત કાલમાં, મારા ઉપર અન્ય કેઈએ, કદી પણ આવા પ્રકારને ઉપકાર કર્યો જ નથી. આથી, એ જીવ કેઈ પણ સારું કામ કરતાં પહેલાં, પિતાના પરમ ઉપકારીઓને અને પરમ ઉપકારક વસ્તુઓને યાદ કર્યા વિના તથા તેમને નમન કર્યા વિના રહી શકતો જ નથી. એ મુજબ જ, ટીકાકાર આચાર્યભગવાન શ્રીમદ અભયદેવસૂરીશ્વરજી મહારાજાએ અહીં પહેલા શ્લોકમાં સઘળા ય ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સામુદાયિક રીતિએ પંદર પંદર વિશેષણથી સ્તવના કર્યા પછીથી પણ, બીજા શ્લોકમાં ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને, ગણધરભગવાન શ્રી સુધર્માસ્વામીજીને, સઘળા ય અનુગવૃદ્ધોને અને સાથે સાથે શ્રી સર્વજ્ઞ ભગવાનની વાણીને પણ યાદ કરીને નમસ્કાર કર્યો છે અને તે પછીથી જ પોતાના અભિધેયનું સ્પષ્ટીકરણ કર્યું છે. સુદેવના સ્વરૂપમાં નિશ્ચિત બનવાની પહેલી જરૂર - આ પંચમાંગ સૂત્ર શ્રી ભગવતીજી સૂત્રની ટીકાની રચના કરવાને માટે ઉદ્યત બનેલા, પરમ ઉપકારી, આચાર્યભગવાન શ્રીમદ્દ અભયદેવસૂરીશ્વરજી મહારાજા, સૂત્રની ટીકાને શુભારંભ કરવાને માટે, સૂત્રની ટીકાને સંપૂર્ણ કરતાં સુધીમાં
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy