SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાંગશાસ્ત્રપ્રસ્તાવના ૫૧૩ હોવી જોઇએ કે જેમને એના ધર્મ ન ગમતા હોય, તેમને પણ એ તે ગમતી જ હોય. એના ધર્મની અવગણના કરનાર સ્વજને પણ, એને માટે તે એમ જ કહે કે— વહુ તે વહુ જ કે છે.’ દરેક સ્ત્રીએ પેાતાના પત્નીધર્મને આ રીતિએ અદા કરવાના પ્રયત્ન કરવા જોઇએ. પત્ની અનવું નહિ ને સંસારને તજી દેવા, એ સારૂં છે; પણ પત્ની બનવું જ પડે તેા પત્ની મની જાણવું જોઇએ. પત્નીને પત્ની બનતાં આવડે, એમાં એના ધર્મની પ્રશંસા થાય અને પત્નીને પત્ની બનતાં આવડે નહિ, એમાં એના ધર્મની નિન્દા થાય. પરન્તુ ખરી વાત એ છે કે-જે ખાઇએના હૈયે સમજપૂર્વકની ધર્મશીલતા હોય છે, તે વિવેકિની જ હોય છે અને જેવિવેકી હેાય, તે અનુચિત વર્તનથી આઘા રહેવાની કાળજી રાખ્યા વિના રહે નહિ. વિવેકી જ તે કહેવાય, કે જે ઔચિત્યના આદરવાળા પણ અવશ્ય હેાય. આ રાણી તા પરમ વિવેકવતી હતી, એટલે ધર્મ સિવાયની બાબતમાં તે પેાતાના પતિ રાજાને સર્વથા અનુકૂળપણે વર્તતી. આથી જ, રાણીના હૈયામાં ખીલ્કુલ ચેન નહિ હાવા છતાં પણ, રાજા એ રાત્રિ એ રાણીની સાથે સુખચેનમાં પસાર કરી શકયો. રાણી એટલી ગંભીર હતી કે રાજાને ખબર પણ પડી નહિ કે-રાણીનું મન બેચેન છે. અહીં રાજા–રાણીની રાત્રિ આ રીતિએ પસાર થઈ, ત્યારે કામદેવના મન્દિરમાં રાત્રિ કેવા પ્રકારે પસાર થઈ, તે આપણે જોઇએ. આ ઉદાહરણ જે હેતુથી લેવામાં આવ્યું છે, તે હેતુ ત્યાં રહેલા છે. રાજાના માણસ, પેલા ગીતાર્થ સાધુ મહાત્માને કામદેવના મન્દિરમાં લઈ જઈને, એકદમ મન્દિરનું દ્વાર બંધ કરી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy