SearchBrowseAboutContactDonate
Page Preview
Page 522
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૮ શ્રી ભગવતીજી સત્રનાં વ્યાખ્યાને કે હુત, જે પ્રમાણે હેય, તે પ્રમાણે ઉચ્ચારણ કરવું, એ વિધિ છે. વ્યંજનના ભેદથી અર્થભેદ જન્મ, અર્થભેદથી ક્રિયાભેદ જન્મ અને એમ કરતાં મોક્ષનું જે કારણ છે, તે મોક્ષનું કારણ મટી જવા પામે. એક અક્ષરની પણ ઘાલમેલ થાય નહિ? એક શબ્દના અનના અર્થો હોય છે અને અનન્તજ્ઞાનીઓએ કહેલું સૂત્ર છે-આવું માનનારે, કદી પણ સૂત્રના એક અક્ષરમાં પણ ઘાલમેલ કરવાનું પસંદ કરે નહિ. “ઘમ્મો મુવિ એની જગ્યાએ, પદપદ્ધતિને ફેરવીને બંધારું મો” એમ પણ બેલી શકાય નહિ; અથવા તે, પર્યાયભેદ કરીને “પુvi રામુ” એમ પણ બોલી શકાય નહિ. એ સૂત્રને તે “ધનો મુઠુિં' એવી રીતિએ જ બેલાય. પદપદ્ધતિ ફરવાથી અગર પર્યાયભેદ કરવાથી પણ, મૂળ જે અર્થ હોય છે, તેમાં કાંઈક ને કાંઈક ન્યૂનાધિકતા આવે છે. આવી રીતિએ પદપદ્ધતિના ફેરફારમાં કે પર્યાયભેદ કરવામાં, મૂળ રચયિતા જે મહાપુરૂષ, તેમના પ્રત્યેના બહુમાનની ખામી જણાય છે તેમ જ પિતાના જ્ઞાનને અપચે જણાય છે. એ બન્ને ય વસ્તુઓ નુકશાનકારક છે. જેમ પદાનુક્રમને ફેરવાય નહિ અને પર્યાયપલટે કરી શકાય નહિ, તેમ પદમાંના એક વર્ણની જગ્યાએ અન્ય વર્ણ પણ મૂકી શકાય નહિ. એમાંથી તે વળી, ઘર અનર્થ પણ જન્મી જવા પામે. જેમ કે મને સંવાદમુર્કિની જગ્યાએ, કેઈ ભૂલથી પણ “મો મંત્રમુશિ કહી દે, તે “શાસ્ત્ર” શબ્દની જગ્યાએ “શસ્ત્ર” શબ્દ મૂકી દેવા જેવું જ એ ભયંકર થઈ પડે ને?
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy