SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૪. શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો હવે ત્યાંથી નીકળીને એ બને વિદ્યાર્થીઓ ચાલતા ચાલતા નદીના કાંઠે ગયા. ત્યાં એક વૃદ્ધ સ્ત્રી પાણી ભરવાને આવી હતી. તેણીએ ઘડામાં પાણી ભર્યું અને તેને માથે મૂક્યો. એટલામાં, એ ડોસીએ આ બે વિદ્યાર્થીઓને જોયા. આ વિદ્યાર્થીઓને જોઈને, એ ડોસીને પિતાના પુત્રની ખબર પૂછવાનું મન થયું. એ ડોસીનો પુત્ર ઘણા વખતથી બહારગામ ગયે હતું અને તેના વિષે કાંઈ પણ સમાચાર મળ્યા નહતા. આ બન્નેને નિમિત્તજ્ઞ બ્રાહ્મણપુત્રો જાણુને, ડોસીએ પૂછયું કે-“ઘણા વખતથી પરદેશ ગયેલે મારે દીકર, ઘરે પાછો ક્યારે આવશે ?” ડોસી આમ પૂછતી હતી–એવામાં જ ડેસીના માથેથી ઘડે નીચે પડ્યો અને ભાંગી ગયે. આથી પિલા બીજા વિદ્યાર્થીઓ એ ડોસીને જવાબ દેતાં કહ્યું કે–“નિમિત્તશાસ્ત્રમાં એમ કહ્યું છે કે-કઈ પ્રશ્ન પૂછે ત્યારે જે કાંઈ બનાવ બને, તેને અનુસરીને તે પ્રશ્નનો ઉત્તર સમજવો. તે વખતે જે કાંઈ પરિણામ આવે, તેવું પ્રશ્નવસ્તુનું થયું છે-એમ સમજવું. આથી હું તને કહું છું કે–પ્રશ્ન પૂછતી વેળાએ તારે ઘડે ભાંગી ગયું છે, માટે તારે પુત્ર મરણ પાપે છે–એમ તું સમજી લે.” એ વિદ્યાર્થીએ જેવું આ પ્રમાણે કહ્યું, તેની સાથે જ ડોસીએ તે રે-કકળ શરૂ કરી દીધી. તેણી એકદમ પિક મૂકીને રેવા લાગી. રેતી એવી તે ડેસીને, પહેલા વિદ્યાર્થીએ શાન્તવન આપતાં કહ્યું કે-“ડેસી મા ! તમે જરા પણ ખેદ કરે નહિ. તમે આનન્દ પામે. તમારે દીકરે તે તમારા ઘરમાં આવી ચૂક્યો છે, માટે તમે ઉતાવળાં ઘેર જાવ અને તમારા
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy