SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના વિનાનું મન્દિર હોય અને મધ્ય મણિ વિનાને હાર હોય, તો એ ઘર, મુખ, માન, પુષ્પ, કંકુ, સરોવર, મન્દિર અને હાર શેભે? ન જ શેભે! એ જ રીતિએ, વિનય પણ બહુમાન વિના શેભે નહિ; સફળ બને નહિ. વિનયની સાચી કિંમત જ બહુમાનને અંગે છે. વિનય હોય ત્યાં બહુમાન ન હોય એ બનવાજોગ છે, જ્યારે બહુમાન હોય ત્યાં વિનય તો જ ન દેખાય, કે જે વિનયને આચરવાનું અશક્ય હેય. બહુમાન એકલું પણ લાભ કરે છે અને જે બહુમાનપૂર્વકને અલ્પ પણ વિનય હેય તે ય એ વિનય ઘણા લાભને માટે થાય છે. વિનય એ બાહ્યોપચાર છે. એની આવશ્યકતા ઘણું છે. બહુમાનના નામે વિનયની અવગણના કરનારાઓ તો એ મૂર્ખ જ છે. જેમ નિશ્ચયના નામે વ્યવહારની અવગણના કરનારા, જ્ઞાનના નામે ચરણની અવગણના કરનારા અને મનની મજબૂતાઈના નામે મર્યાદાની અવગણના કરનારા મૂખ છે, તેમ બહુમાનના નામે વિનયની અવગણના કરનારા પણ મૂર્ખ જ છે; પરન્તુ વિનયને સાચો આધાર, વિનયની સફળતાને સાચે પાયો બહુમાન છે. આથી, જ્ઞાનના અર્થી આત્માઓએ પિતાના હૃદયમાં જ્ઞાની ગુર્વાદિક પ્રત્યેના બહુમાનના ભાવને અવશ્ય સ્થાપિત કરવા જોઈએ. એમાં જ બહુમાન નામના આ ત્રીજા. જ્ઞાનાચારનું પાલન રહેલું છે. બહુમાનનાં પાંચ લક્ષણે વિનયાચાર તો પ્રત્યક્ષપણે દેખાઈ આવે એવી વસ્તુ છે, જ્યારે બહુમાન એ આત્યંતર ભક્તિ-પ્રીતિ રૂપ છે, એટલે એને ચર્મચક્ષુઓથી જોઈ શકાય નહિ. સામાન્ય રીતિએ લેકે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy