SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯–નિગમનની મહત્તા : અતુચ્છ પુચ્છ રૂપ નિગમન : આમ જયકુંજરનાં લગભગ બધાં અંગોની વાત થઈ ગઈ. માત્ર એક અંગ ખાકી રહ્યું. જયકુંજરનું આગળના ભાગનું અંગ શૂઢ, તેમ જયકુંજરની પાછળના ભાગનું અંગ કર્યું ? પુચ્છ. ટીકાકાર મહર્ષિએ સત્તરમા વિશેષણમાં પુચ્છની વાત કરી છે. તેઓશ્રી ક્રમાવે છે કે "" " निगमनवचनातुच्छपुच्छस्य । એટલે કે—જયકુંજરને જેમ અતુચ્છ એવું પુચ્છ હોય છે, તેમ શ્રી ભગવતીજી સૂત્રને પણ નિગમનવચન રૂપ અતુચ્છ એવું પુચ્છ છે. નિગમનથી લાભ : નિગમન કેને કહેવાય ? તમે કાઈ પણ એક અથવા તે વધુ વિષયાનું પ્રતિપાદન કર્યું અગર તેા કોઈ કથા કહી, એ બધાને અન્તે, પૂર્વે જે કાંઈ પણ કહ્યું, તેને સમેટી લઇને કથનને પૂર્ણ કરવામાં જે કહેવાય, તે નિગમન છે. એમાં વાત તે પૂર્વે જે કહેવાઈ હોય તે જ આવે, પણ ભાવ રૂપે અને સૂચન માત્ર રૂપે આવે, અથવા તેા ગ્રન્થના તાત્પર્યંના ખ્યાલ આવે એવી રીતિએ આવે. નિગમન એટલે ઉપસંહાર, એમ પણ કહી શકાય. અન્ત ભાગમાં જે સાર દર્શાવાય, તે નિગમન.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy