SearchBrowseAboutContactDonate
Page Preview
Page 425
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૩૯૧ અજ્ઞાનને રસ ઉપજે ક્યાંથી? આ તે બહુ જ સામાન્ય કેટિની વાત છે. નાની વાત આવી, એટલે આટલું તમને કાંઈક ખ્યાલ આવે એ પૂરતું કહેવાય છે. બાકી તો, નાની ચર્ચા એ બહુ મેટી ચર્ચા છે. નાની ચર્ચા ચાલે અને એમાં આત્મા તન્મય બની જાય, તે એ વખતે એ કામ કાઢી જાય. નાની ચર્ચા એટલે તત્વસ્વરૂપની ભિન્ન ભિન્ન અપેક્ષાઓની વિચારણ. અહીં તમને જો નાની વિસ્તૃત વ્યાખ્યામાં ઉતારવામાં આવે, તે તમારે રસ વધી જવાને બદલે ભાગી જવા પામે એ શક્ય છે. ઘણું રસદાયક વાત પણ, સુજ્ઞ જનેને જ રસ ઉપજાવી શકે છે. અજ્ઞાન જનેને માટે રસદાયક વાત પણ રસદાયક બની શકતી નથી. પૌષ્ટિક ખોરાક પણ જે એને પચાવી શકે તેને માટે પુષ્ટિ કરનારે બને. બીજાને તે ઝાડા જ થઈ જાય. એમ, તમે જે ભણેલા , તે તો તમારી પાસે જ્યારે નના ભિન્ન ભિન્ન સ્વરૂપની અને પરસ્પરના સમન્વયની વાત કરવામાં આવે, ત્યારે તમારે સાંભળવાનું અને જાણ વાને રસ એકદમ વધી જવા પામે. તમને એમ થઈ જાય કે-“આવું સાંભળવા જેવું, જાણવા જેવું, વિચારવા જેવું, આ જગતમાં બીજું છે જ શું?” આ બધી દ્રવ્યાનુયોગની વાત કહેવાય. તમને આ વાતમાં રસ ઉપજે, એવું તમે ભણેલા છે? તમારે ન જ કહેવી પડે તેમ છે ને? મેટે ભાગે તમને આ વિષયનું જ્ઞાન નથી તેમ જ આવા જ્ઞાનની તમને વિશેષ દરકાર હોય એવું પણ જણાતું નથી. એને લઈને થાય છે શું? તમને શ્રી જૈન શાસનને પામ્યાની જે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy