SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શ્રી ભગવતીજી મૂત્રનાં વ્યાખ્યાનો ઉત્પન્ન થવા પામતા જ નથી. તેનું કારણ એ જ છે કે તે પૂર્ણ દૃષ્ટિવાળા છે. સ્યાદ્વાદ, એ સંપૂર્ણ દૃષ્ટિનું અંગ છે. એના આશ્રય નહિ લેનારાએ અધુરા જ્ઞાનવાળા, અજ્ઞાન, મિથ્યાદષ્ટિ હોય છે. જ્યાં સુધી સ્યાદ્વાદ–દૃષ્ટિથી, શ્રી સર્વજ્ઞકથિત સ્યાદ્વાદ—દૃષ્ટિથી પદાર્થનું નિરૂપણ ન થાય, ત્યાં સુધી એ નિરૂપણ અધુરૂં જ રહે છે; કારણ કે—પ્રત્યેક વસ્તુ અનન્તધર્માત્મક છે અને એક દૃષ્ટિથી તા એ વસ્તુના અનંત ધર્મોમાંથી માત્ર એક જ ધર્મને ગ્રહણ કરાય, એટલે બાકીના સર્વ ધર્માનું નિરૂપણ રહી જાય અથવા તા બાકીના સર્વ ધર્મોને અપલાપ થઈ જાય. તાત્પર્ય કે—સ્યાદ્વાદ દૃષ્ટિથી નિરૂપણ થાય, તા . વસ્તુના એક ધર્મના નિરૂપણની સાથે તેના અનન્તા ધર્મોનું નિરૂપણ પણ થઈ જવા પામે છે. આ સ્યાદ્વાદ, એ અપેક્ષામૂલક વાદ છે. અપેક્ષા એટલે નય, એમ પણ કહેવાય. આ અપેક્ષાએ આ વાત છે, એમ તમે ખેાલે ત્યાં અપેક્ષા નયમાં ગઈ તેમજ અન્ય અપેક્ષાઓના નિષેધ પણ નહિ થયેા. નયે સાત છે. જો કે–સમ્મતિમાં ચૈવ કુંતિ નથવાયા । ’–એમ ફરમાવીને, જેટલા વચનના માર્ગો છે, તે બધા નયેા છે—એમ જણાવ્યું છે; પરન્તુ ખધા નાના સમાવેશ સાત સે। નયેામાં પણ કરવામાં આવ્યા છે, પાંચ સે। નયામાં પણ કરવામાં આવ્યા છે અને સાત નચેામાં પણ કરવામાં આવ્યા છે. जावइया वयणपहा तावइया કાઈ નય વસ્તુતઃ ખાટા નથી : " કાઈ નય વસ્તુત: ખાટા નથી, પણ જે નય માત્ર હું જ છું અને કાઈ નથી ’–એ પ્રમાણેના હુંકારમાં તણાય, તે *
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy