SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ३९८ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાનો તે જરૂર હોય, અને એથી બચવાના ઉપાય કરવાની વૃત્તિ પણ તમારામાં જરૂર હોય. જ્ઞાનને અને ચરણને કે સંબંધ છે, એક-બીજાને એક–બીજા વિના કેમ ચાલે એવું નથી, એ તમે આ ઉપરથી પણ સમજી શક્યા હશે. જ્ઞાન અને ચરણ પરસ્પરની નિશ્રાએ જ મુક્તિ માધક બને? જ્ઞાનવાળાને ચરણની આવશ્યકતા અને મહત્તા સમજાય તથા ચરણવાળાને જ્ઞાનની આવશ્યક્તા અને મહત્તા સમજાય, એ માટે આપણાં શાસ્ત્રોમાં જ્ઞાનનું અને ચરણનું વર્ણન કરતાં, પરસ્પર સંવાદાત્મક વર્ણન પણ કરવામાં આવ્યું છે. એનું તાત્પર્ય એટલું જ છે કે-જેટલી જરૂર અને મહત્તા જ્ઞાનની છે, તેટલી જ જરૂર અને મહત્તા ચરણની છે. ન જ્ઞાન વિના ચાલી શકે કે ન ચરણ વિના ચાલી શકે ! કોઈ કહેશે કે-એ બેમાં પ્રધાન કેણ?” તે કહેવું પડે કે-બને જ પિતપોતાની અપેક્ષાએ પ્રધાન જીવ વિશેષે તે કોઈને માટે જ્ઞાન ચરણનું કારણ બને, તો કેઈને માટે ચરણ જ્ઞાનનું કારણ બને. મોક્ષમાર્ગ જ્ઞાન અને ચરણ-એ બન્નેને અન્યોન્યાશ્રયે છે. મેક્ષમાર્ગનું નિરૂપણ કરતાં, કેઈએ પણ માત્ર જ્ઞાનથી મુક્તિ કહેલ નથી અને કેઈએ પણ માત્ર ચરણથી મુક્તિ કહેલ નથી. જ્ઞાન અને ચરણના વેગથી મુક્તિ-એમ જ કહેલ છે. પછી અમુક જીવમાં જ્ઞાન પ્રધાનપણે મુક્તિસાધક બને અને અમુક જીવમાં ચરણ પ્રધાનપણે મુક્તિસાધક બને; પણ જ્ઞાન જે ચરણથી સર્વથા નિરપેક્ષ હોય તે જ્ઞાન પણ મુક્તિસાધક બની શકે નહિ અને ચરણ જે જ્ઞાનથી સર્વથા નિરપેક્ષ હોય તે તે ચરણ પણ મુક્તિસાધક બની શકે નહિ.
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy