SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૯ આજે ભાગ–ા પ્રસ્તાવના કરાવીને, તે તે વિદનેને કેમ કરીને નિષ્ફલ બનાવવાં, એ પણ બતાવે છે. આમ શ્રી ભગવતીજી સૂત્ર દેખાડવાનું અને દેરવાનું કાર્ય કરવા દ્વારા જ્ઞાનનું અને ચરણનું દાન કરે છે. તમે જાણે છે કે-જે દેખી શકે નહિ, તે દેખાડી શકે નહિ. જેણે જે જોયું જ ન હોય, તે તેને દેખાડે શી રીતિએ ? કઈ કહેશે કે આંધળે બનેલો માણસ પણ દેખાડી શકે છે, પણ તેણે સમજવું જોઈએ કે તે જ્યારે આંધળે નહેતે અને દેખતે હતો, ત્યારે તેણે જે જોયેલું અગર જાણેલું તેને તે દેખાડી શકે છે. જે જોયું-જાણ્યું ન હોય, તેને દેખાડી શકાય જ નહિ, એ સ્પષ્ટ વાત છે. આ વાત ઉપરથી તમે સમજી શકશે કે–અહીં ટીકાકાર મહર્ષિએ એક જ્ઞાન રૂપ અને બીજું ચરણ રૂ૫–એમ જે બે નયને શ્રી ભગવતીજી સૂત્રના જણાવ્યાં છે, તે તદ્દન બરાબર જ છે. જેને જ્ઞાન-ચરણ રૂપ નયનયુગલની પ્રાપ્ત થાય છે, તે આનરિક અને બાહ્ય દુઃખોથી બચીને આન્તરિક અને બાહ્ય સુખને પામે છે : શ્રી ભગવતીજી સૂત્ર, જ્ઞાન–ચરણ રૂપ નયન યુગલ દ્વારા જીવને કયાં દેરી જાય છે? કહે કે–જીવને મેક્ષની તરફ દેરી જઈને મેક્ષે પહોંચાડે છે. શ્રી ભગવતીજી સ્ત્રનું આ નયન યુગલ એવું છે કે–જે કઈ આ સૂત્રને સાચી રીતિએ જાણું શકે, યથાર્થ સ્વરૂપે હૈયામાં પરિણમાવી શકે, તેને પણ જ્ઞાન–ચરણ રૂપ નયન યુગલ પ્રાપ્ત થાય. શ્રી ભગવતીજી સૂત્રના જ્ઞાનચરણ રૂપ નયન યુગલ દ્વારા, જ્ઞાનચરણ રૂપ નચનયુગલવાળો બનીને, એ જીવ ક્રમે કરીને મોક્ષે પહોંચી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy