SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન અને ભાવને નહિ સમજનારને પણ એનું શ્રવણ સુખદ લાગે, મીઠું લાગે. શ્રી ભગવતીજી સૂત્રની લલિત પદ્મપદ્ધતિ એવી જ છે. કેવી ? કાંઈ નહિ સમજનારને પણ સાંભળવાનું ગમે એવી ! તેા પછી, કાઈ કહેશે કે—પ્રબુદ્ધ જનના મનનું રંજન કરનાર છે, એમ કેમ કહ્યું ? એને ખૂલાસા એ છે કે-પદપદ્ધતિ લલિત હાવાથી પહેલી તકે કાને પડતાં કાનને સુખ આપે, પણ પછી પદોના અર્થ અને ભાવ સમજાય નહિ, એટલે એ સુખને ભાગવટા ક્ષણજીવી નિવડે. વળી, જરાક કાનને સુખદ લાગે, એટલા માત્રથી એને મનનું રંજન કરનાર ન કહેવાય. મનનું રંજન કરનાર તા ત્યારે કહેવાય, કે જ્યારે એનું શ્રવણ અગર વાંચન ચાલુ ન હોય, ત્યારે પણ એ પદો એની લલિત પદ્ધતિના પ્રતાપે કાનમાં ગુંજ્યા કરે અને મનમાં રમ્યા કરે. એટલે જ કહ્યું કે—આ સૂત્રની જે લલિત પદ્મપદ્ધતિ છે, તે પ્રમુદ્ધ એવા જે જનેા, તેમના મનનું રંજન કરનાર છે, સૂત્રેાની રચના શ્રુતજ્ઞાનિએ જ કરે પણ કેવલજ્ઞાનિ કદી પણ સૂત્રેાની રચના કરે નહિ ઃ શ્રી ભગવતીજી સૂત્રમાં કુલ ૨,૮૮,૦૦૦ પદો છે. એ બધાં ચ પદો લાલિત્યપૂર્ણ લાગે છે, કારણ કે એ પદોની ગાઠવણુ રૂપ જે પદ્ધતિ છે, તે લલિત છે. માત્ર સાહિત્યિક દૃષ્ટિએ જ આ બધાં પદો લલિત છે, મનેાહર છે, એવું નથી; સાથે સાથે ભાવની દૃષ્ટિએ પણ, આ બધાં પદ્મ લલિત છે. આ પદ્મોમાં બાહ્ય લાલિત્ય પણ છે અને આન્તર લાલિત્ય એટલે ભાવલાલિત્ય પણ છે. જો એક પણ પદ યથાર્થ રીતિએ હૃદયમાં વસી જાય, એના અર્થ તથા ભાવ હૈયે ઠેસી જાય અને
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy