SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાના પહેોંચી ગયા. ત્યાં જઇને એણે વિનંતિ કરી કે– મને શાસ્ત્રોના અભ્યાસ કરાવા. તમારા વિના મારે બીજું કાઈ શરણ નથી. ઈન્દ્રદત્ત સજ્જન માણસ છે, પણ નિર્ધન છે. પેાતે પેાતાના જીવનનિર્વાહ પણ મહા મુશીબતે કરે છે. આટલેા ગરીબ હોવા છતાં પણ એ પ્રમાણિક છે, એટલે કપિલને એ સાચે સાચી વાત કહી દે છે. કપિલને એ પહેલાં તેા ઉત્સાહિત બનાવે છે. એ કહે છે કે તેં મારા ભાઇના જ પુત્ર છે. વિદ્યાના આવા મનારથ કરીને તેં તારા પિતાને લજ્જિત નથી કર્યા.’ અર્થાત્—એમના જેવાના પુત્રને શાલે એવા જ તારા મનારથ છે.’ આ પ્રમાણે કહ્યા પછીથી, ઈન્દ્રદત્ત કહે છે કે‘પણ હું તને શી વાત કરૂં ? તારૂં આતિથ્ય કરવા જોગું પણ ધન મારી પાસે નથી; એટલે મને ચિન્તા એ વાતની થાય છે કે–મારી પાસે ભણવાને આવેલા તૂ રાજ જમીશ કયાં ? ભેાજન વિના તા, તારા ભણવાના મનોરથ વ્યર્થ નિવડશે. ’ 6 ઈન્દ્રદત્તે આ પ્રમાણે કહ્યું, પરન્તુ કપિલ તે ગમે તે ઉપાયે ભણવા જ માગે છે, એટલે કપિલ કહે છે કે- હું તાત ! ભિક્ષા દ્વારા મારૂં ભાજન થઈ રહેશે. બ્રાહ્મણ જ્યારથી જનાઇને ધારણ કરે છે, ત્યારથી એને · ભિક્ષા આપે। ’ એમ કહેવાનું નક્કી જ થઈ ગયેલું છે. એટલે તેા બ્રાહ્મણ હાથી ઉપર આરૂઢ થયેલા હાય, તા પણ ભિક્ષાને માગતાં લાજતે નથી અને જે ભિક્ષાચર જ છે, તે તા જેમ રાજા કોઈને ય કોઈ વાર આધીન થતા નથી, તેમ કાઈને ચ કયાં ય આધીન થતા નથી.’ અર્થાત્–રાજા જેમ સર્વ કાળે સર્વત્ર જઈ શકે છે, તેમ ભિક્ષાચર પણ સર્વ કાળે સર્વત્ર જઈ શકે છે. ' કપિલના આટલા બધા અધ્યયનને માટેના ઉત્સાહને ,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy