SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને ઘણીવાર બનેલું જોવાય અગર તે જણાય છે. દુન્યવી સમૃદ્ધિ જો ગુણને જ આધીન હોય, તે નિર્ગુણ અથવા તે દુર્ગુણ એવા કેઈની ય પાસે સંપત્તિ નહિ હોવી જોઈએ, જ્યારે અત્યારે જેઓ મેટા સંપત્તિશાલિઓ ગણાય છે, તેમાં ગુણવાને ઘણા થોડા છે અને નિર્ગુણ અથવા દુર્ગુણી ઝાઝા છે. ગુણને સંપત્તિનું પણ કારણ કહેવું હોય, તો એ રીતિએ કહેવાય કે-ગુણ જેનામાં હોય, તે પુણ્ય બાંધે અને પુણ્યના ઉદયે સંપત્તિની પ્રાપ્તિ થાય. બાકી, વ્યવહારથી એમ કહેવાય કે–પિતાની સંપત્તિને પુત્રો ગુણવાન હોય તે જ સાચવી શકે છે. માતાએ કપિલને એ પ્રમાણે કહ્યું, એટલે કપિલે માતાને કહ્યું કે-“તે હું પણ ગુણને અર્થી બનીને હવે અભ્યાસ કરું.” માતા કહે છે કે “તારી ઇચ્છા તે સારી છે. તું જરૂર ભણ, પણ આ ગામમાં તને ભણાવશે કેણ? કારણ કેઅહીંના બધા ય લેકે તારા પ્રત્યે ઈર્ષાવાળા છે. તારે જે ભણવું હોય, તે તું શ્રાવસ્તી નગરીએ જા. ત્યાં ઈન્દ્રદત્ત નામે તારા પિતાના મિત્ર રહે છે. એ સર્વ શાસ્ત્રના વેત્તા છે. તું. એમની પાસે ભણવાને જઈશ, તો તે તને પિતાના પુત્ર જે. માનશે અને પિતાની જેમ પ્રસન્ન થઈને કળાપૂર્ણ બનાવશે.” એ જ્ઞાનપ્રેમ નથી ? માતાને પુત્રને ભણાવવાની કેટલી બધી હોંશ છે? નાની ઉંમરના પણ છોકરાને એ, ભણતર ખાતર પરગામે અને પરગૃહે જવાની સલાહ આપે છે. પરંતુ વિચારવા જેવી બાબત એટલી જ છે કે આ જ્ઞાનને પ્રેમ છે કે બીજી કોઈ વસ્તુને પ્રેમ છે? વાત ભણાવવાની છે, મહેનત ભણાવવાની છે, પણ,
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy