SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને પૂછવાનું સૂઝયું નહિ અને આવું પૂછવાનું સૂઝયું ! પિતાને ચકવર્તી કહેવડાવવાને માટે એ સાતમી નરકે જવાને માટે પણ તૈયાર થઈ ગયે. કૂણિકને જીવ આ ગાઢ મિથ્યાદષ્ટિ હતો, એટલે પુત્રરાગમાં એ આંધળો બને અને પુત્ર પ્રત્યેની રાગાન્ધતામાં એ ગૌરવને આનંદ અનુભવે, એ સ્થાને જ છે એ વાત તમારી સમજમાં આવી ગઈ ને? આ વાત એટલા જ માટે કહી કે-કણિકના પુત્ર પ્રેમની વાતને સાંભળીને, કેઈ પિતાના પુત્ર પ્રેમને વિકસિત કરવાને માટે, કૃણિક જેવાને આદર્શ બનાવી લેવાની ભૂલ કરે નહિ. ચેલેણાદેવીને મળેલી તક: આપણે પાછા મૂળ વાત ઉપર આવે. કૃણિકે પિતાની માતા ચેલણદેવીને પ્રશ્ન કર્યો કે-“મારા જે પુત્રપ્રેમી પહેલાં કઈ થયે હશે ખરે? અથવા તો અત્યારે કેઈ મારા જે પુત્રપ્રેમી હશે ખરે ?” કૃણિકે આવું પૂછયું, એટલે ચેલણદેવીને ઘણા વખતથી હૈયામાં સંઘરી રાખેલી વાતને બેલવાની અને રેષને વ્યક્ત કરવાની તેમ જ પોતાના પુત્રના મગજને ઠેકાણે લાવવાને યથાવસર પ્રયત્ન કરવાની તક મળી ગઈ. એ તકને ચેલ્લેણાદેવીએ પૂરેપૂરો લાભ ઉઠાવ્યા પણ ખરે, કારણ કે-એ પરમ પતિભક્તા હતી અને પ્રસંગને પિછાની લેવામાં પ્રવીણ પણ હતી. ચલ્લણાદેવીએ શ્રી શ્રેણિકના પુત્રપ્રેમની રજા કરેલી હકીકતઃ ચલ્લણાદેવીએ કણિકને જવાબ આપતાં કહ્યું કે અરે પાપી! તું જાણતો જ નથી કે–તારા પિતાને તું આ બાળકની જેમ અત્યન્ત વહાલે હતે. તને ખબર નથી કે હું જ્યારે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy