SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના યોગ્ય આધાર લેવામાં ગૌરવની હાનિ નથીઃ શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનોને આધાર લે–એમાં એ પિતાના ગૌરવની હાનિ સમજે છે, તેઓ વસ્તુતઃ ગૌરવ શામાં અને ગૌરવની હાનિ શામાં, એ વાતને જ સમજતા નથી. અલ્પજ્ઞ અથવા તો અસર્વજ્ઞ માણસ, શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનેને આધાર લઈને બેલે, એમાં વાસ્તવિક રીતિએ તે, એનું પિતાનું પણ ગૌરવ જ છે. શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનને આધાર લઈને જે બોલે છે, તે જે કાંઈ બોલવા માગે છે, તે સાચું અને એકાન્ત સ્વ–પર–હિતકારી બેલવા માગે છે, એમ સાબીત થઈ જાય છે. મિથ્યા વચન કે કેઈનું પણ કઈ પણ પ્રકારે અહિત કરનારું વચન એને બાલવું નથી, એ વાત એના એવા વર્તનથી જ સિદ્ધ થઈ જાય છે. એ સાચે સત્યાગ્રહી છે, એમ જણાઈ આવે છે. સાચે સત્યાગ્રહી તે જ છે, કે જે શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનને આધાર લઈને જ બલવાનું પસંદ કરે છે. એવા માણસ ઉપર કેઈપણ માણસ નિઃશંકપણે વિશ્વાસ મૂકી શકે છે. જે માણસ સૌને આ પ્રકારેવિશ્વસનીય લાગે, તેનું ગૌરવ વધ્યું કહેવાય કે તેના ગૌરવની હાનિ થઈ કહેવાય? કેઈકહેશે કે બીજાનું કહ્યું કહેવામાં કિંમત શી? પણ બીજાનું કહ્યું કહેવામાં કિંમત તે ત્યારે નહિ, કે જ્યારે જેનું કહ્યું કહેવામાં આવે છે, તે અસર્વજ્ઞ અને મિથ્યાભાષી હેય! જે શ્રી સર્વજ્ઞ ભગવાનનું કહેવું છે અને જે શ્રી સર્વજ્ઞ ભગવાનનાં વચનને અનુસરીને કહેવાએલું છે, એને કહેવામાં તો કિંમત જ છે. એનાથી સાબીત થાય છે કે-આમને પોતાના જ્ઞાનની ઓછપનું ભાન છેઃ જ્ઞાનની ઓછપ હોવા છતાં પણ કેટલાકે
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy