SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો ભાગ–શાસ્ત્રપ્રસ્તાવના ૭૩ ભાવના હોય, તે જે કર્મના પરવશપણાથી ચારિત્રને સેવી શકતો ન હોય, તો એને કર્મનું પરવશપણું વધારે ખટકવું જોઈએ ને? તમને કર્મનું પરવશપણું ખટકે છે ખરું? વારંવાર તમને એમ થાય છે કે-ક્યારે મારું કર્મ નબળું પડે અને ક્યારે હું ભગવાને કહેલા માર્ગને મન-વચન-કાયાથી આરધક બનું? ક્યારે હું સંસારને તજીને સંયમને સેવનારે બનું, એમ થાય છે? એવું કાંઈ થતું ન હોય અને કર્મના જેરની વાત કરવી, એ તે બહાનું માત્ર છે. ચાર અતિશય સાથે પ્રગટે છેઃ - ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીના નામની પૂર્વે ટીકાકાર મહર્ષિએ વાપરેલા શ્રી શબ્દ ઉપરથી આ બધી વાતો થઈ. ભગવાનના નામની સાથે “શ્રીની યોજના, એ એમ સૂચવે છે કે–ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજી જ્ઞાનાતિશયથી સમ્પન્ન હતા. ભગવાન જ્ઞાનાતિશયથી સંપન્ન હતા–એમ કહેવાથી, ભગવાન અપાયાપગમાતિશયથી, પૂજાતિશયથી અને વચનાતિશયથી પણ સમ્પન્ન હતા, એમ સમજાઈ જાય એવું છે કારણ કે-જ્ઞાનાતિશયનું પ્રગટીકરણ, ભગવાન વીતરાગ બને તે પછીથી જ થાય છે અને ભગવાન વીતરાગ બનતાંની સાથે જ, અપાયાપગમાતિશય પ્રગટ થાય છે. અપાયાપગમાતિશયના અને જ્ઞાનાતિશયના પ્રગટીકરણ વચ્ચે જેમ સમયનું કાંઈ ખાસ છેટું હોતું નથી, તેમ જ્ઞાનાતિશયના પ્રગટીકરણ પછી તરતમાં જ પૂજાતિશય અને વચનાતિશય-એ બે અતિશય પ્રગટ થઈ જ જાય છે; એટલે ભગવાનના ચારેય અતિશય સાથે પ્રગટે છે, એમ પણ સ્કૂલ રીતિએ કહેવું હોય તો કહી
SR No.023149
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 02
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChandulal Jamnadas Shah
Publication Year1953
Total Pages592
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy