SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતીજી સુત્રનાં વ્યાખ્યાન સારનાર છે, એ નિર્વિવાદ વસ્તુ છે કારણ કે એ સઘળી જ કથા આપણે એ તારકે પ્રત્યેના ભક્તિભાવપૂર્વક જ કરી છે અને વાત વાતમાં આપણું હૃદયમાં તેઓ પ્રત્યે નમસ્કારને ભાવ જાગૃત થતા રહ્યા છે. ખરેખર, તારકેના ઉપકારની ઝાંખી થાય, એટલે હૈયું નમ્યા વિનાનું રહી શકે જ નહિ. ૨. મંગલાચરણ માટે શ્રી જિનસ્તુતિ કેમ? ટીકાકાર મહર્ષિ શ્રી જિનસ્તુતિ કરવા દ્વારે આપણામાં રેગ્યતાનું સ્થાપન કરે છે. આ પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્રના અર્થોનું જ્ઞાનામૃતપાન, આત્માની સ્વાભાવિક એવી જે અજરામર અવસ્થા, તેને પ્રાપ્ત કરાવનાર છે. મુક્તિગામી આત્માઓ જ આનું શ્રવણ ભાવપૂર્વક કરી શકે છે. સૂત્રનું સુધાપાન કરતાં પહેલાં, સૂત્રનું સુધાપાન કરવાની લાયકાત મેળવવાને માટે અને લાયક બનીને પણ સૂત્રનું સુધાપાન આપણે નિર્વિધનપણે કરી શકીએ એ માટે, આપણે ભગવાન શ્રી જિનેશ્વરની સ્તુતિ રૂપ સુધાપાન કરવાનું છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ રૂપ સુધાપાન, વક્તાની અને શ્રોતાની–ઉભયની શક્તિને -ક્ષપશમને વધારે છે. શ્રી જિનસ્તુતિ રૂપ સુધાપાન કરવાના ગે, આપણે સૂત્રામૃતના ઘૂંટડેઘુંટડા સુખેથી પીઈ શકીએ અને એમાં આવતાં વિદનેના ટૂકડેટુકડા કરી શકીએ, એ માટે જ પ્રથમ ટીકાકાર મહર્ષિ, આપણને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ રૂપ અમૃતપાન કરાવે છે. ભગવાન
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy