SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ-બી જિનસ્તુતિ - ૪૮૧ આ હાથીણીઓને બીજે કઈ અધિપતિ થવું જ જોઈએ નહિ; આહાથીણીઓને ભેગવનારે બીજે કઈ પાક જોઈએ જ નહિ.” એ હાથમાં આવી વૃત્તિ પ્રગટવાથી, એ હાથીએ પિતાની હાથીણીઓનાં બધાં જ નર બચ્ચાને જન્મતાંની સાથે જ મારી નાખવા માંડ્યાં. હાથીઓમાં એવું હોય છે કે-હાથીનું બચ્ચું જુવાન થાય, એટલે જેરમાં આવે અને જેરમાં આવે એટલે બીજાને મારીને પણ પોતે ભોગ ભોગવે.હાથીની જાતમાં કામવાસના ઘણી તીવ્ર હોય છે. હાથીઓને પકડનારાઓ, હાથીઓને પકડવાને માટે, હાથીણીને ઉપયોગ કરે છે. નકકી કરેલી જગ્યાએ ખાડો ખોદીને, તેના ઉપર ઘાસ ઢાંકી દે. પછી એ તરફ હાથી દેડતે આવે એવી રીતિએ હાથીણીને બાંધી રાખે. હાથી જે એ હાથીણી પાસે પહોંચવા જાય, ત્યાં તે એ પેલા ખાડામાં પડે. - પેલે હાથી પિતાનાં જ બચ્ચાને જન્મતાંની સાથે મારી નાખતે હતે. કામસુખની લાલસાના ચેગે આવે હિંસકભાવ પણ પેદા થાય ને? હાથી પિતાનાં બધાં જ નર બચ્ચાંઓને મારી નાખે છે, એ વાતની બધી હાથીણીઓને ખબર હતી. એમાં એક હાથીણી, કે જે સગર્ભા હતી, તેણે વિચાર કર્યો કે મારે આ વાર તો જરૂર મારા બચ્ચાને બચાવી લેવું.” એને એમ પણ થયું કે-“મને આ ગર્ભમાં રહેલા કલભને બચાવવાનું મન થાય છે, એથી એમ લાગે છે કે–આ કલભ મોટું થઈને બધા શત્રુઓને નમાવનારૂં થશે.” આથી એ હાથીણીએ નક્કી કર્યું કે મારા પેટમાં રહેલા
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy