SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–કા જિતસ્તુતિ કરેછે જોઈ એ, તે જાણવાનું રહી જોય. આ તે તેમને આ રીતિએ સૂચવી દીધું કે- હવે બને તેટલું ઓછું લખાણ થાય, એની કાળજી રાખવામાં આવશે. હજુ તે મંગલાચરણના પહેલા કલેકમાં ટીકાકાર આચાર્યભગવાને જે પંદર વિશેષણોથી ભગવાન શ્રી જિનેશ્વરદેવેની સ્તુતિ કરી છે, તે વિશેષણ પૈકીનાં છ વિશેષ થયાં છે અને આજથી “અસ્મરએવા સાતમા વિશેષણ સંબંધી વિચારણા શરૂ થાય છે. કામના કારણથી પણ રહિત અમર એટલે, મરને છે અભાવ જેમનામાં એવા ! વારિત સારો રસ, સોડાઃ ” સ્મર એટલે કામ. જેમનામાં કામનું નામ પણ નથી, તે અમર કહેવાય. ભગવાન કામના વિજેતા જ બન્યા-એમ નહિ, પરંતુ ભગવાને તે કામના કારણને જ સદાને માટેની વિદાયગીરી આપી દીધી. કામનું કારણ વિદ્યમાન , તે છતાં પણ કામને જે કરવા દે નહિ અને કામ જેર કરવા જાય તે તેને દાબી દે-એ જુદી વસ્તુ છે અને કામ કદી પણ ઉત્પન્ન થઈ શકે નહિએવી અવસ્થાને પ્રાપ્ત કરવી, એ જુદી વસ્તુ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવે નિર્વેદાવસ્થાને પામેલા હોય છે. વેદના ઉદયનું નામ જ કામ છે. પુરૂષદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ -એમ વેદના ત્રણ પ્રકારે છે. સ્ત્રી, પુરૂષ અને નપુસંક, એ ત્રણે પ્રકારે વેદયના સૂચક છે. એ વેદનું કારણ તેવા પ્રકારનું કમ છે. ભગવાન જયારે પિતાના કેવલજ્ઞાનરૂપ ગુણને પ્રગટાવવાને માટે ક્ષેપકેણિ માંડે છે, ત્યારે કેમ કરીને ઘાતી કર્મોને ઘાત
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy