SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાન “સાચા જેન પિતાના હૈયામાં સંતાનને માટે કેવી ભાવના હેય?” રાજાને તે પ્રજા પણ સંતાન તુલ્ય જ છે ને ? તે છતાં પણ, શ્રી કૃષ્ણ મહારાજાએ પિતાના સંતાનને માટે જે ઉપાય અજમાવ્યું, તે ઉપાય કેઈ નેકર અથવા તે પ્રજાજનને માટે અજમાવ્યો નથી. ત્યારે શું પ્રજાજને ધર્મને પામે અને સંયમને આરાધનારા બને–એવી શ્રી કૃષ્ણ મહારાજાની ઈચ્છા નહતી? શ્રી કૃષ્ણ મહારાજાના હૈયામાં એવી ઈચ્છા તે હતી જ, પણ તેમણે ત્યાં પોતાની મર્યાદાને વિચાર કર્યો અને મર્યાદાને છાજતે ઉપાય છે. શ્રી કૃષ્ણ મહારાજાએ પિતાના પ્રજાજને સંયમને આરાધનારા બને, એ માટે શ્રી થાવસ્ત્રાપુત્રની દીક્ષાના સમયે ઢઢરે પીટા કે-“જે કોઈને પણ ભગવાન શ્રી નેમનાથસ્વામિજીની પાસે દીક્ષા લેવી હોય, તે ખૂશીથી દીક્ષા લે ! જે કઈ દીક્ષા લેશે, તેની પાછળ રહેલાં સઘળાં કુટુમ્બીજનેને હું દીક્ષા લેનારની જેમ સાચવીશ. દીક્ષા લેનારના પુત્રને પુત્રની જેમ જાળવીશ અને દીક્ષા લેનારના પિતાને પિતા જેવા માનીને જાળવીશ. દીક્ષા લેનારના અભાવમાં હું કેઈને કશી જ તકલીફ પડવા નહિ દઉં અને તેમની બધી મુશ્કેલીઓનું નિવારણ હું કરીશ !” વિચારવા જેવું એ છે કે શ્રી કૃષ્ણ મહારાજાના હૈયામાં સંયમ પ્રત્યે કે ભાવ હતો તેમજ એ સંયમની પ્રભાવના કરવાની એમના હૈયામાં કેવી તાલાવેલી હતી? પોતે કેવા હતા? શ્રાવકના એક અશ્વતને પણ નહિ આચરનારા ! વિરતિને અંશે પણ કરનારા નહિ! આણુવ્રતાદિનું ગ્રહણ અને પાલન અથવા તે સામાન્ય પણ વિરતિ, એ કેમ નહિ કરતા હોય?નહિ કરવા માટે કે
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy