SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૪ શ્રી ભગવતીજી સૂત્રનાં વ્યાખ્યાને વિશાલતા જોઈએ છે. કેઈના ય ઉપર ઉપકાર કરે, એ ઉંચી વસ્તુ છે; પણ અપકારી ઉપર ઉપકાર કરે,એ તે સૌથી ઉંચી વસ્તુ છે. હૃદયને પ્રશમભાવમાં મગ્ન કર્યા વિના, પર દ્વારા થયેલા અગર થતા અપકારને વિસરી શકાય નહિ અને એ વિના એના ઉપર ઉપકાર કરી શકાય નહિ; પણ આવા છે તે આ જગતમાં વિરલા હોય છે. વિરલ જને જ લાલને પામી શકે છે. લાલ એટલે રત્ન. સર્વ જેના પ્રતિપાલ બનવાની ભાવનાવાળાઓને આ લોકનું લોલ પણ સુલભ બને છે અને આત્માનું લાલ પણ સુલભ બને છે. એ માટે એક શેઠ અને તેમના ત્રણ પુત્રનું એક ઉદાહરણ જોઈએ. ' એક શેઠ પાસે ખૂબ સંપત્તિ હતી. લાખ રૂપિયાને તે માલિક હતું. તેને ત્રણ પુત્રો હતા. શેઠની ભાવના એવી હતી કે-મારા દીકરાઓ દુનિયામાં સારામાં સારું કામ કરે. . બાપની ભાવના તે ગમે તેટલી સારી હોય, પણ છોકરાઓમાં તેવા પ્રકારની લાયકાત જોઈએ ને? . . . પિતાનાં સંતાનોને માટે, પિતાનાં દીકરા-દીકરીઓને માટે જેનની ભાવના થી હોય? સાચે જૈન, કે જે ભગવાન શ્રી જિનેશ્વરદેવના શાસનના પરમાર્થને પામેલ હોય, એનું હૈયે કયી ચીજને માટે તલસતું હેય સાચા જેનનું હૈયું રત્નત્રયીને પામવાને અને સેવાને માટે જ તલસતું હેય. આ માનવભવને પામીને મારે માટે મેળવવા ચોગ્ય કે વરતુ હેય, સેવવા એમ્ય કોઈ વરતું હોય, તે તે એક નવયજ છે –એવું સાચા જૈનના હૈયામાં કેતરાઈગયેલું જ હેય. આથી તે જે કુટુંબાદિકની અગવડને અંગે, જવાબ
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy