SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલા ભાગ-શ્રો જિનરાંત ૩૪૯ છે, તેઓ પણ ધમ કાને કહેશે; એટલે કે શુદ્ધ ધર્મનું કેવા પ્રકારનું પ્રતિપાદન કરશે, તેનું આ પાઠમાં વર્ણન કરાએલું છે. એ સઘળા ય તારકા પ્રરૂપતા હતા, પ્રરૂપે છે અને પ્રરૂ પશે કે કાઈ પણ જીવની હિંસા કરવા ચેાગ્ય નથી. પ્રાણી શબ્દ, ભૂત શબ્દ, જીવ શબ્દ અને સત્ત્વ શબ્દ એકા વાચી તરીકે પણ ગ્રડણ કરી શકાય છે અને પ્રાણી શબ્દથી એઈન્દ્રિય, તેઈન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવા, ભૂત શબ્દથી વૃક્ષા આદિ વનસ્પતિકાયના જીવા, જીવ શબ્દથી ચારેય ગતિમાં રહેલા પંચેન્દ્રિય જીવા અને સત્ત્વ શબ્દથી બાકીના એટલે પૃથ્વીકાય, અકાય, તેઉકાય અને વાયુકાયના જીવા-એવા પ્રકારના અર્થને પણ ગ્રહણ કરી શકાય છે. આમ સંસારમાં રહેલા સર્વ જીવામાંથી એક પણ જીવના પ્રાણાનું હરણ નહિ કરવું જોઈએ; એટલું જ નહિ, પણ એમાંના કોઈ પણ જીવને તાડનાદિ નહિ કરવું જોઈએ; કેાઈ જીવ ઉપર બળજબરી નહિ કરવી જોઈ એ; કોઈ પણ જીવને પાતાના જ ગુલામની દશામાં નહિ મૂકવા જોઇએ; યાવ-કાઈ પણ જીવને શારી રિક અગર તે માનસિક પણ પરિતાપ નહિ ઉપજાવવા જોઈએ. આ ધર્મ શુદ્ધ પણુ છૈ, નિત્ય પણ છે અને શાશ્વત એવા મેાક્ષપદને દેનારા પણ છે. સંસારમાં જવા દુઃખ રૂપ સાગરમાં ડૂબી ગયેલા છે; એ જીવેાના દુઃખને જાણીને, એ જીવાનું દુઃખ છેદાય એ માટે, એટલે કે—સંસારના જીવા દુઃખ રૂપ સાગરના પારને પામી જાય એ માટે, સર્વ જીવાના હિતને કરનારા એવા ભગવાન શ્રી જિનેશ્વદેવાએ આવા પ્રકારના ધર્મની પ્રા કરી છે. ભગવાન શ્રી જિનેશ્વરદવાના શાસ્ત્ર :
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy