SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પહેલે ભાગ–શ્રી જિનસ્તુતિ ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તુતિ કરી છે અને તેમાં પંદર વિશેષણને વાપરીને, આપણને ભગવાન શ્રી જિનેશ્વરદેવેની ઓળખ કરાવી છે. ટીકાકાર પરમર્ષિએ આ સ્તુતિમાં જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની ઓળખ કરાવી છે, તેમ એ તારકની સ્તુતિ કેવી રીતિએ કરવી જોઈએ, એ વાત પણ સૂચવી છે. એ માટે એ મહાપુરૂષે એકલું–“pit –નહિ કહેતાં, “યત પ્રમ” એમ કહ્યું છે. “નૌરિ કહેવાને બદલે જ કહ્યું અને એકલું “ામ –નહિ કહેતાં “પ્રયતઃ પ્ર”િ —એમ કહ્યું. આ રીતિએ, એ મહાપુરૂષે, આ સ્તવનાની પ્રકર્ષતાને પણ સૂચવી છે અને સ્તવના કરનારની પ્રકૃષ્ટતાને પણ સૂચવી છે. આ વસ્તુ સૂચવે છે કેઆ સ્તવના હું ખૂબ ખૂબ ઉપગપૂર્વક, મન-વચન-કાયાને એકતાન બનાવીને-ઉલ્લાસથી કરું છું. મન શુદ્ધ ભાવ સાથે ઉલ્લાસવાળું છે, વચનની પણ આમાં શુદ્ધિ છે અને કાયા પણ વિનયથી નમી રહી છે-એમ આ એક કાર્યને વિષે ત્રણે ૨ ને શુદ્ધ બનાવીને મેં ક્યા છે, આ ભાવ આ “wામિ” માંથી નીકળે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની સ્તવના આવી રીતિએ કરવી જોઈએ. મેંઢેથી સ્તુતિ બોલાતી હોય, પરંતુ આંખે ક્યાં ય ભમતી હેચ તથા કાયા પણ વિનયાચારથી શૂન્ય હોય અને મનનું તે ઠેકાણું જ ન હોય, એવું બને કે ન બને ? તમે ભગવાનની સ્તવના કરતા હે, ત્યારે તે પ્રયત્નપૂર્વક અને ભાલ્લાસથી કરતા હશે ને? મન પણ શુદ્ધ, વચન પણ શુદ્ધ અને કાયા પણ શુદ્ધ, એટલે શું? મનમાં બીજો કોઈ ભાવ તે નહિ જ, પણ એ તારકની સ્તવનાને
SR No.023148
Book TitleBhagwati Sutra Vyakhyan Sangraha Part 01
Original Sutra AuthorSudharmaswami
AuthorVijaylabdhisuri
PublisherChimanlal Nathalal
Publication Year1951
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy