SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨] યદ્યપિ લહીએ ભવજલ નાવ; [શ્રા. વિ. અને વૃથા અહંકાર વગેરે આવે છે. પિતાએ પુત્રને રાજસભા દેખાડવી, તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા, રાજસભા દેખાડવાનું કારણ એ છે કે-રાજસભાને પરિચય ન હોય તે કઈ વખતે દુર્દેવથી ઓચિંતુ કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાચર થાય, તથા પારકી લક્ષ્મી જોઈ અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાખે. કેમકે-રાજદરબારમાં જવું, રાજાના માનીતા કે જેવા, તેથી કાંઈ અર્થલાભ ન થાય તે પણ અનર્થને નાશ તે થાય જ, માટે રાજસભાને અવશ્ય પરિચય કરાવવો. પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે, પરદેશના આચાર-વ્યવહારનું જ્ઞાન ન હોય, અને કારણ પડેથી ત્યાં જવું પડે તે ત્યાંના લેકે એને પરદેશી જાણુને સહજવારમાં દુઃખમાં નાંખી દે, માટે પરદેશના આચાર–વ્યવહાર દેખાડવા. પિતાની પેઠે માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહૂના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ ઓરમાન પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કારણ કે, તે પ્રાયે સહજમાં પિતાને કાંઈ ઓછું પડયું એમ માનનારે હોય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી એકનાર પુત્રને દાખલે જાણવો. સગાં સંબંધિઓનું ઉચિત : પિતાના, માતાના તથા સ્ત્રીના પક્ષના લેકે સ્વજન કહેવાય છે. તેમના સંબંધમાં પુરૂષનું ઉચિત આચરણ આ રીતે છે. પોતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ-સગાઈ આદિ મંગળ કાર્ય હોય ત્યારે
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy