SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ હિ. ક] પ્રથમ અંગમાં રિતિગિચ્છાએ, કિમ વળગું!” એમ વિચારી છેવટે તે હત્યા વૃદ્ધ બ્રાહાણને વળગી, તેથી તે કાળી કૂબડી અને કેઢ રેગવાળી થઈ આ રીતે પારકા બેટાદેષ બેલવા ઉપર લેકપ્રસિધ્ધ દષ્ટાંત. દ ૭૬ સાચાવોન બાલવા અંગે ૩પુતળીની કથાહવે કે રાજાની આગળ કઈ પરદેશીએ લાવેલી ત્રણ પુતળીઓની પંડિતેએ પરીક્ષા કરી. એકના કાનમાં દેશે નાંખે તે તેના મુખમાંથી બહાર નીકળે. તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી પુતળીની કિસ્મત કુટી કેડીની કરી. બીજી પુતળીના કાનમાં નાખેલે દોરે તેના બીજા કાનમાંથી બહાર નીકળે તે એક કાને સાંભળી બીજો કાને બહાર નાંખી દેનારાની કિંમત લાખ સોનિયા કરી. ત્રીજીના કાનમાં નાખેલે દોરે તેના ગળામાં ઉતર્યો તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિંમત અમૂલ્ય કહી. લોક વિરુદ્ધ આચરવું નહી–સરળ લેકેની મશ્કરી કરવી, ગુણવાન લોકોની અદેખાઈ કરવી, કૃતજ્ઞ થવું, ઘણા લેકની સાથે વિરોધ રાખનારની સોબત કરવી, લેકમાં પૂજાએલાનું અપમાન કરવું, સદાચારી લોક સંકટમાં આવે રાજી થવું, આપણુમાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વગેરેની ઉચિત રીતભાત છોડવી, ધનના પ્રમાણથી ઘણે ઉજળ અથવા ઘણે મલિન વેષ વગેરે કરવો. એ સર્વ લેકવિરુદ્ધ કહેવાય છે. એથી આ લેકમાં અપયશ વગેરે થાય છે. વાચકશિરોમણી શ્રી ઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે, સર્વ ધમી લોકોને આધાર લેક છે, માટે જે વાત લોકવિરુધ્ધ શ્રા. ૨૩
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy