SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪]. ભરતા દિકના જેહ; (શ્રા. વિ. દેવસાક્ષિક ૩. ગુરૂસાક્ષિક. તેને વિધિ-જિનમંદિરે દેવવંદન અર્થે સ્નાન દર્શનને અર્થે અથવા દેશના આદિ કારણથી આવેલા સદ્ગુરૂની પાસે વંદન વગેરે કરી વિધિપૂર્વક પચ્ચકખાણ લેવું. મંદિરે ન હોય તે ઉપાશ્રયમાં જિનમંદિરની પેઠે ત્રણ નિશીહિ તથા પાંચ અભિગમ વગેરે યથાગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાથી પહેલાં અથવા તે થઈ રહ્યા પછી સગુરૂને રપ આવ.થી દ્વાદશાવર્ત વંદના કરે. ગુરુવદનનું ફલ: વંદનાનું ફળ બહુ મોટું છે. માણસ શ્રધ્ધાથી વંદના કરે તે નીચત્રકમને ખપાવે, ઉચ્ચત્રકર્મ બાંધે અને કર્મની ગ્રંથિ શિથિલ કરે. કૃણે ગુરૂવંદનાથી સાતમીને બદલે ત્રીજીનરકનું આયુષ્ય અને તીર્થંકરનામકર્મ બાંધ્યું, તથા ક્ષાયિકસમ્યક્ત્વ પામ્યા. શીતળાચાર્યને વંદના કરવા માટે આવેલા, રાત્રીએ બહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા (શીતલાચાર્યના) ચાર ભાણે જેને પહેલાં ક્રોધથી દ્રવ્ય વંદના કરી અને પછી કેવલી ભાણેજના વચનથી ભાવવંદના કરી ત્યારે તેમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. ગુરૂવંદનના પ્રકાર અને વિધિ ભાષ્યમાં કહ્યું છે કે ગુરુવંદન ત્રણ પ્રકારે છે. એક ફેટાવંદન, બીજું ભવંદન અને ત્રીજું દ્વાદશાવવંદન. એકલું માથું નમાવે, કે બે હાથ જોડે તે ફેટાવંદન જાણવું, બે ખમાસમણ દે તે બીજું ભવંદન જાણવું, અને બાર આવર્ણ, પચ્ચીશ આવશ્યક વગેરે વિધિ સહિત બે વાંદણા દે, તે ત્રીજું દ્વાદશાવર્ત વંદન જાણવું. તેમાં પ્રથમફેટાવંદન
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy