SearchBrowseAboutContactDonate
Page Preview
Page 272
Loading...
Download File
Download File
Page Text
________________ * .i s હિ. કઈ પુણ્યરહીત જે એહવા, રિરૂ પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, ઓરસીઓ, કાજળ, જળ અને દીવા આહ્નિ વસ્તુ તથા મંદિરની શાળામાં થઈને પરનાળાના માર્ગે આવેલું જળ વગેરે પણ પિતાના કામને માટે ન વાપરવું. કારણ કે, દેવદ્રવ્યની પેઠે તેના ઉપરથી પણ દેષ લાગે છે. ચામર તંબુ આદિ વસ્તુ તે વાપરવાથી કદાચિત મલિન થવાને તથા તૂટવા-ફાટવાને પણ સંભવ છે, તેથી ઉપભેગ કરતાં પણ અધિક દોષ લાગે. કહ્યું છે કે ભગવાન આગળ દી કરીને તેજ દીવાથી ઘૂરનાં કામ ૩ કરવાં. તેમ કરે તે તિયચ યોનિમાં જાય. એ ઉપર દૃષ્ટાંત છે કે – મન્દિરને દીવો વાપરત્ર અંગે ઊંટડીનું દષ્ટાંત. ૬.૩૦ ઇંદ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતું. અને ધનસેન નામે એક ઊંસ્કાર તેને સેવક હ. ધનસેનના ઘરથી દરરોજ એક ઊંટડી દેવસેનને ઘેર આવતી ધનસેન તેને મારી-કૂટીને પાછી લઈ જાય, તે પણ તે નેહને લીધે પાછી દેવસેનને ઘેર જ આવીને રહે એમ થવા લાગ્યું. ત્યારે દેવસેને તેને વેચાતી લઈને પિતાના ઘરમાં રાખી અને પરસ્પર બંને પ્રીતિવાલાં થયાં. કોઈ સમયે રાની મુનિરાજને ઊંટના સ્નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ રડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દી કરીને તેજ દીવાથી ઘરનાં કામ કર્યા. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલે સળગાશે. તે પાપકર્મથી એ ઊંટડી થઈ કહ્યું છે કે-જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દી તથા ધૂપ કરીને તેનાથી જ પિતાના
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy