SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ તેહથી મુનિ વમે મેહને, [શ્રા. વિ. આવી. એક દિવસે કઈ પરદેશી પુરૂષે ધર્મદત્તને અર્થે ઇંદ્ધિના અશ્વ સરખા લક્ષણવાળા એક અશ્વનું રાજાને ભેટયું કર્યું તે જ સમયે પિતાની આજ્ઞા લઈને ધર્મદત્ત તે અશ્વ ઉપર ચઢ. ચઢતાં જ પિતાને અલૌકિક વેગ આકાશમાં પણ દેખાડવાને અર્થે જ હોય કે શું ! અથવા ઇંદ્રના. અશ્વને મળવાની ઉત્સુક્તાથી જ કે શું? તે અશ્વ એકદમ આકાશમાં ઉડી ક્ષણમાત્રમાં અદશ્ય થેયે અને હજારે. જન ઉલ્લવી તે ધર્મદત્તને ઘણી વિકટ અટવીમાં મૂકી કયાંય ચાલ્યા ગયા. સપના ફૂકારથી, વાનરના બુત્કારથી, સૂઅરના ધુત્કારથી, દીપડાના ચમત્કારથી, ચમરી ગાયના ભેંકારથી, રેઝના ત્રકારથી અને ખરાબ શિયાળીયાની ફેકારથી ઘણી જ ભયંકર એવી તે અટવીમાં પણ સ્વભાવથી જ ભય રહિત એવા ધર્મદતે લેશ માત્ર પણ ભય મનમાં રાખે નહીં. એ તે ખરૂં છે કે સારા પુરૂષ વિપત્તિને વખતે ઘણીજ ધીરજ રાખે છે, અને સુખ આવે ત્યારે ગર્વ બિલકુલ કરતા નથી. હાથીની પેઠે અટવીમાં યથેષ્ટ ફરનારો ધર્મદત્ત તે શૂન્ય અટવીમાં પણ જેમ પિતાના રાજમંદિરના ઉદ્યાનમાં રહેતું હોય તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો. પરંતુ જિન-પ્રતિમાનું પૂજન કરવાને યોગ ન મળવાથી માત્ર દુખી થયે. તે પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનારા નિલ ચઉવિહારે ઉપવાસ કર્યો. શીતળ અને જાત જાતના ફળ ઘણાં હોવાં છતાં પણ સુધાતૃષાથી અતિશય પીડાયેલા કે કઠો .
SR No.023145
Book TitleShravakoni Achar Samhita Yane Shraddh Vidhi Bhashantar
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Mahayashsagar
PublisherKeshavlal Premchand Parekh
Publication Year1982
Total Pages712
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy