SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ અન્યતાર્થિકના પ્રશ્નો ભગવતી શ–૮. ઉ-૭, ૧૪૫ (૬૬) અન્યતીર્થિકના પ્રશ્નો ભગવતી સૂત્ર શ. ૮ ઉ. ૭ ને અધિકાર રાજગૃહી નગરીની બહાર સારી સંખ્યામાં અન્યતીથિકે રહેતા હતા. એક વખત તેઓ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને સ્થવિર સાધુઓની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હું આ ! તમે અસંયતિ, અવિરત, યાવત્ એકાન્ત બાલ અજ્ઞાની છે. કેમકે તમે અદત્તને ગ્રહણ કરે છે, અને અદત્તને આહાર કરે છે, અને તમે અદત્ત કહેવડાવે છે. કેમકે જ્યાં સુધી તમારા પાત્રમાં નહિ આવેલી અને વચ્ચે જ કેઈ લઈ જાય તે તમે તેને પિતાની વસ્તુ ગઈ માનતા નથી. તેથી તમને અદત્ત લાગે છે. સ્થવિર સાધુઓએ અન્યતીર્થિકોને કહ્યું કે-“હે આર્યો ! અમારા મત મુજબ રિઝમને રિ (દેવાનું શરૂ કરેલ હોય તે દીધેલું) કહેવાય છે. એટલા માટે અદત્ત ગ્રહણ કરતા નથી અને અને આહાર કરતા નથી. તેથી અમે ત્રિવિધ-ત્રિવિધ (ત્રણ કરણ ત્રણ વેગથી) સંયતિ વિરત યાવત્ એકાંત પંડિત છીએ કે આ તમારા મનમાં રિમાને વિજે કહેવાતું નથી. તે માટે તમે અદત્તને ગ્રહણ કરે છે, અને અદત્તને આહાર કરે છે, જેથી તમે અસંયત, અવિરત યાવત્ એકાંત બાલ અજ્ઞાની છો” અન્યતીકિએ સ્થવિર સાધુઓને કહ્યું કે-“હે આ ! તમે એક સ્થાનેથી બીજે સ્થાને જાઓ છે, ત્યારે પૃથ્વીકાયના જીવને દબાવે છે, યાવત્ મારી નાખે છે. તેથી તમે અસંયતિ અવિરતિ યાવત્ એકાંત બાલ અજ્ઞાની છે.” વિર સાધુઓએ અન્યતીથિને કહ્યું કે, “હે આર્યો ! અમે કાયેગ, શરીરને (ગ્લાનિ આદિની સેવા) અને સત્ય (જીવ રક્ષારૂપ સંયમ)ને આશ્રય કરી એક સ્થાનેથી બીજે સ્થાને યતનાપૂર્વક જઈએ છીએ. એટલા માટે અમે પૃથ્વીકાયના જીવેને દબાવતા નથી. યાવત્ મારતા નથી. તેથી અમે સંયતિ, વિરતિ યાવત્ એકાંત પંડિત છીએ. ૧૯
SR No.023144
Book TitleBhagwati Upkram
Original Sutra AuthorN/A
AuthorJankaray Muni, Jagdish Muni
PublisherShamji Velji Virani and Kadvibai Virani Sarak Trust
Publication Year1969
Total Pages784
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy