SearchBrowseAboutContactDonate
Page Preview
Page 496
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મનિશ્ચયાષિકારક ભાવાર્થ–આત્મ દ્રવ્ય, નાશવંત એવા મનુષ્ય અને નારકી વગેરેના પર્યાયેથી રમણીયનથીઅને તે પર્યાના ભેદથી તે ઐક્યતાને છોડતું નથી. તે સર્વદા અન્વયવાળું-સંબંધવાળું છે. ૨૩ વિશેષાથ–આત્મદ્રવ્ય એવું છે કે, તે મનુષ્ય, નારકી વગેરે નાશવંત પયાથી રમણીય લાગતું નથી, એટલે તેના તે પર્યાયે શાશ્વત ન હોવાથી, તે તેનાથી રમ્ય નથી, અને તે પર્યા ભેટવાળા હેવાથી, તે આત્મદ્રવ્ય પિતાની એકયતાને છેડતું નથી, એટલે તે સદા એકજ રહે છે. વળી તે દ્રવ્ય સદા અન્વયવાળું છે, એટલે સદા શાશ્વત છે. ૨૩ આત્મા મનુષ્ય, નારકી વગેરેમાં કેવી રીતે વર્તે છે? ययेकं हेम केयूरकुंम्लादिषु वर्तते । Imાિપુ તયૌવો નિબન 8 | ભાવાર્થ જેમ સુવર્ણ, બાજુબંધ અને કુંડળ વગેરેમાં એકજ છે, તેમ આત્મા મનુષ્ય, નારકી વગેરેમાં નિરંજનપણે એકજ છે. ૨૪ ' વિશેષાર્થ-જેમ બાજુબંધ, કુંડલ વગેરે જુદાં જુદાં આભૂષણ છે, પણ તેમાં સુવર્ણ એજ છે, જુદું જુદું સુવર્ણ નથી; તેવીરીતે મનુષ્ય, નારકી, વગેરે જુદી જુદી ગતિના જીવે છે, પણ તેને નિરંજન એ આત્મા એકજ છે. એટલે નિર્વિકારી એવું આત્મદ્રવ્ય એકજ છે. ૨૪
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy