SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ . અધ્યાત્મ સાર. અધિકારીની સ્થિતિ દર્શાવે છે. જયારે ગુરૂને તત્વ પુછી, પુરૂષ તે તત્ત્વને અંગીકાર કરનારે થાય છે, ત્યારે તે પ્રથમ સમ્યગ્દર્શ નને પ્રાપ્ત થાય છે. પછી શ્રાવક તથા યતિ કે જે ત્રણ પ્રકારના અનંતાનુબંધીના અંશને ખપાવનાર છે. જ્યારે તે અંશને ખપાવે છે ત્યારે તેનું દર્શન મેહનીય ખપી જાય છે. અથવા મેહનીય ને ઉપશાંત કરે છે. એટલે તે ઉપશાંત મેહી થઈ ક્ષપક શ્રેણીમાં વતે છે, પછી સગી કેવળી તથા અગીકેવળી ભગવાન બને છે. ૯-૧૦ ઉપરના ગુણ અધ્યાત્મ ગુણથી પ્રાપ્ત થાય છે, માટે અધ્યાત્મ મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. यथाक्रमममी प्रोक्ता असंरव्यगुणनिर्जसः। यतितव्यमतोऽध्यात्मवृष्ये कलयापिहि॥ ११ ॥ ભાવાર્થ—અનુક્રમે જે એ ગુણ કહેવામાં આવેલા છે, તે અસંખ્યાત ગુણે નિર્જરાના કરનારા છે, તેથી એકલાથી પણ અધ્યાત્મની વૃદ્ધિને માટે પ્રયત્ન કરે. ૧૧ ૯ રબત્ન કરવા. ૧૧ ' વિશેષાર્થ–ઉપર જે અનુક્રમે ગુણે દર્શાવ્યા છે, તે ગુણે કર્મની નિરાને કરનારા છે. તેથી એકલાથી પણ અધ્યાત્યની વૃદ્ધિને માટે પ્રયત્ન કરવો જોઈએ. એટલે જે અધ્યાત્મની વૃદ્ધિને માટે એકલાએ પણ પ્રયત્ન કરવામાં આવે તે, તે બધા ગુણે અનુક્રમે પ્રાપ્ત થાય છે, અને તેથી કર્મની નિર્જરા થાય છે. અને કર્મની નિર્જરા થવાથી મોક્ષ સુધી લાભ પ્રાપ્ત થાય છે. ૧૧
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy