SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ કુર અધ્યાત્મ સાર.. ભાવાર્થ– જે આ અનુભવું છું, તે હું સારું છું” કૌવા અવધારણથી આત્માને ત્રણ કાળનું એક્તા જ્ઞાન ક્ષણિકપણુધી બાધિત થાય છે. ૩૮ વિશેષાર્થ-જેમ ક્ષણિકપણું માનીએ તે, એક્તાનું કામ બાધિત થાય છે. એટલે જે હું અનુભવું છું તેજ હું તેને સંભારૂં છું.” આ એક્તાનું જ્ઞાન ક્ષણિકપણું માનવાથી બાધિત થાય છે. અનુભવ કરનાર અને સંભારનાર બંને એકજ પુરૂષ છે, તે કાંઈ જુદા જુદા પુરૂષ નથી. તે જો ક્ષણિક માનીએ તે, અનુભવ કરનાર અને સંભારનાર બંને જુદા જુદા થઈ જાય અને તેઓ જુદા જુદા છે નહીં. માટે ક્ષણિક મત તદ્દન ઉડી જાય છે. ૨૮ બને મતને અસત્ય ઠરાવે છે. नास्मिन् विषयबाधो यत् क्षणिकऽपि तथैकता । नानाज्ञानान्वये तत् स्थिरे नानाक्षणान्वये ॥ ३ए॥ ભાવાથ–આત્માને નિત્ય માનવામાં વિષયને બાધ હોત નથી, અને ક્ષણિક મત પ્રમાણે પણ એમજ છે. વિવિધ જ્ઞાનને અન્વય લેતા એક્તા છે, અને સ્થિર આત્માને વિષે નાના પ્રકારના ક્ષણના સંગમાં એકતા જાણવી. ૩૯ વિશેષાર્થ—જે મતમાં આત્મા નિત્ય માનવામાં આવે છે, તે મત પ્રમાણે આત્માને વિષયને બાધ નથી. કારણ કે જે નિત્ય હોય, તેને વિષયની બાધા શી રીતે થાય? અને ક્ષણિકતા
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy