SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ સાર. વિશેષાર્થ આત્માને આશ્રયીને જે શુદ્ધ યિા પ્રવર્તે તે અધ્યાત્મ કહેવાય છે. પણ તેવી શુદ્ધ કિયા જ્યારે મેહને નાશ થાય ત્યારે પ્રવર્તી શકે છે. તે ઉપરથી સિદ્ધ થયું કે, જેમના હૃદયમાંથી મોહ નાશ પામ્યા છે એવા પુરૂષ, પછી અંતરાત્માને ઉદ્દેશીને જે શુદ્ધ ક્રિયા કરે તે અધ્યાત્મ કહેવાય છે. એટલે કે જ્યારે મેહને નાશ થાય છે, એટલે આત્મસ્વરૂપ જ્યારે યથાર્થ ઓળખવામાં આવે છે, ત્યારે તેની ક્રિયા પણ શુદ્ધ થાય છે. એવા શુદ્ધ પ્રવર્તનનેજ જિન ભગવાન્ અધ્યાત્મ કહે છે. આ ઉપરથી એમ પણું જાણું, વાનું છે કે, જેનામાં મેહ ન હોય, તે અધ્યાત્મને અધિકારી છે. જ્યાં સુધી મેહને આવેશ રહેલે હોય ત્યાં સુધી આત્મ વિચાર આવતું નથી, અને જે આત્મ વિચાર ન આવે તે પછી અધ્યામે બેધ કયાંથીજ થાય? માટે અધ્યાત્મ સંપાદન કરવાને માટે પ્રથમ મેહને નાશ કરે જોઈએ. મેહને નાશ થવાથી આત્મ ભાન થાય છે, અને આત્મ ભાન થવાથી શુદ્ધ ક્રિયામાં પ્રવર્તાય છે. એવા પ્રવર્તનનું નામ જ અધ્યાત્મ છે. અહીં એમ પણ સમજવાનું છે કે, જ્યાં સુધી મેહ છે, ત્યાં સુધી આત્મ ભાન થતું નથી, અને જયારે આત્મ ભાન ન થાય, તે પછી શુદ્ધ ક્રિયામાં પ્રવૃત્તિ થતી નથી. અને તેમ થવાથી અધ્યાત્મને પ્રાદુર્ભાવ થત નથી. ૨. સર્વ રોગમાં અધ્યાત્મ અનુગત છે. सामायिकं यथा सर्व चारित्रष्वनुवृत्तिमत् । अध्यात्म सर्वयोगेषु तथानुगतमिष्यते ॥ ३ ॥
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy