SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાત્મ સાર. માં એટલા બધા સત્તાષ ઉત્પન્ન થાય છે કે, તે રાજપદ્મ, કુબેરપદ્મ, અને ઇંદ્રપદ, મેળવવાની પણ ઇચ્છા રાખતા નથી. મૂળમાં કુબેરનું નામ શ્રીઢ આપેલું છે, તે ઉપરથી એવા ધ્વનિ નીકળે છે કે કુબેર શ્રીઇ–લક્ષ્મીને આપનાર-છે, છતાં અધ્યાત્મના સંતેષથી તૃપ્ત થયેલા પુરૂષા તેની દરકાર રાખતા નથી. ૧૦ અધ્યાત્મના શિક્ષણ વિનાનુ પાંડિત્ય નકામું છે. यः किला शिक्षिताध्यात्मशास्त्रः पांमित्यमिच्छति । उत्पित्यंगुली पंगुः स्वफल लिप्सया ॥ ११ ॥ ભાવા—જે પુરૂષ અધ્યાત્મ શાસ્ત્ર શીખ્યા નગર પંડિતપણાની ઇચ્છા રાખે છે, તે લંગડા પુરૂષ સ્વર્ગના વૃક્ષનું ફળ મેળવવાની ઇચ્છાથી આંગળીને ઊંચી કરે તેના સમાન છે. ૧૧ વિશેષા—અધ્યાત્મ શાસ્ત્રના અભ્યાસ કર્યાં વગર જે ૫ડિતાઈની ઈચ્છા રાખે છે, તે તદ્ન નકામુ છે. અર્થાત્ જ્યાં સુધી અધ્યાત્મ વિદ્યાના અભ્યાસ કર્યાં ન હોય, ત્યાં સુધી પડિત થવાતું નથી. તે ઉપર ગ્રંથકાર દૃષ્ટાંત આપે છે. જેમ લગડા માગુસ સ્વર્ગમાં રહેલા વૃક્ષનુ ફળ મેળવવાની ઇચ્છાથી આંગળી ઉંચી કરે છે, તેના જેવું હાસ્યાસ્પદ છે, તે કપિણુ સ્વર્ગનાં વૃક્ષનાં ફળને મેળવી શક્તા નથી. આ દૃષ્ટાંત આપી ગ્રંથકારે સિદ્ધ ક્યું છે કે, જે અધ્યાત્મ વિદ્યાને જાણનારા છે, તેએજ ખરેખરા પડિત છે, તે શિવાયના અપડિત છે. પાંડિત્યના પ્રભાવ અધ્યાત્મ વદ્યાથીજ મેળવી શકાય છે. ૧૧
SR No.023143
Book TitleAdhyatmasara
Original Sutra AuthorN/A
AuthorMohanlal Rugnath
PublisherMohanlal Rugnath
Publication Year
Total Pages648
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy