SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦] (ભગવતીસૂત્ર સારસંગ્રહ શરીરવાળે માનવી વધારે ખાય છે. શ્વાસે છવાસ પણ -વધારે લે છે. જે પૂર્વોત્પન્નક નારક છે, તેઓના ઘણા કર્મો. નિજરિત થઈ ગયેલા હેવાથી અલ્પ કર્મવાલા કહેવાય છે. અને પછીથી ઉત્પન્ન થયેલા નારકેને હજુ ઘણા કર્મો ભેગવવાનાં હેવાથી તેઓ મહાકર્મવાળા હોય છે. આ પ્રમાણે પૂર્વોત્પન્નક નારક તદ્દભવીય કર્મોના ભારથી અતિશય મુક્ત થયેલા હોવાથી વિશુદ્ધવર્ણવાળા અને ભાવલેશ્યાની પણ વિશુદ્ધતા હોય છે. માટે કહેવાય છે કે-નારક જીના આહાર, વર્ણ, વેશ્યા તથા શ્વાસ-નિશ્વાસ સરખા હિાતા નથી. - જે સંજ્ઞીભૂત નારક છે. અર્થાત્ સમ્યગદર્શનની પ્રાપ્તિ જે નારકને થઈ છે અથવા સમ્યગદર્શનને સાથે લઈને જે નરકમાં ગયા છે, તેઓ નરકભૂમિમાં ક્ષેત્રજન્ય પરસ્પાદિત, અને પરમાધામી અસૂરે દ્વારા કરાતી વેદનાઓને ભેગવતાં પિતાના જ કરેલા અશુભ કર્મોને આ વિપાક છે, આ પ્રમાણે મરતાં “અરે આ ભયંકર દુઃખ માથા ઉપર આવી પડયું છે, ગયા મનુષ્યભવમાં સંપૂર્ણ દુઃખાના ક્ષય કરાવનાર અરિહંત દેવેને ધર્મ શુદ્ધમને આરાધે નથી, આના જ પરિણામે લીધેલા વ્રતમાં ખલનાઓ થઈ અને અતિચારે વધતાં ગયા માટે જ નરકગતિના મહેમાન બન્યા. આ પ્રમાણે માનસિક વેદના સંજ્ઞીભૂત નારકેને વધારે હોય છે. જ્યારે અસંજ્ઞીભૂત નારકને માનસિક વેદના ઓછી હોય છે. જે જે ક્રિયાઓમાં સાંપરાયિકતા (કષાયભાવ) હોય છે ત્યાં કર્મોનું આવાગમન પણ છે જ. આ હિસાબે નારકી જીને કઈ અને કેટલી કિયાઓ છે? આના જવાબમાં
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy