SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૦] [ભગવતીસૂત્ર સારસ ગ્રહ પણ છેડવાના રહેશે. જેમ કે ૧૫ કર્માદાન, ૨૨ અભક્ષ્ય, ૩૨ અનતકાય (કંદમૂળ) આદિ. જેમ બને તેમ જાણીને, સમજીને, અને ગુરૂ પાસે ધારી લઈને છેડી દેવા જોઇએ. જીવતા દ્વારનુ... ચામડું તા એ પણ આજકાલના વ્યવહારમાં આવતી ચીજો ઉપર વિચાર કરવા ચેાગ્ય છે. યદ્યપિ ગૃહસ્થને ચામડાને ઉપયેાગ ઘણા પ્રસંગેામાં નિશ્ચિત છે, તથાપિ મરેલા જાનવરનું ચામડું હાય ત્યાં સુધી વાંધે નથી. પણ જીવતાં જાનવરાને મારીને ઉત્પા≠િત નરમ-મુલાયમ ચામડાના પદાર્થા જેવાં કે બુટ, હેન્ડબેગ, મનીબેગ, ચામડાનેા ખિસ્તર (ખેડ) ઘડીઆળ, કમર અને ટાપીના પટા, નરમ ચામડાના બનેલા બ્લાઉઝ, કોટ વગેરે વાપરવાની વસ્તુઓ ત્યાજ્ય જ છે. અને મહાવીરસ્વામીના શ્રાવક-શ્રવિકાને માટે તેા અવશ્ય ત્યાજ્ય છે, કેમ કે આ ચામડાની ઉત્પત્તિ આ પ્રમાણે થાય છે. જીવતી ગાયેાને એક લાઈનમાં ઉભી રાખવામાં આવે છે. અને તેના પગ લેાખડના થાંભલા સાથે ખાંધ્યા પછી તેમના ઉપર ગરમાગરમ પાણી રેડવામાં આવે છે. અને નેતરની નાની સેાટીથી ધીમે હાથે ટીપવામાં આવે છે, ત્યાર પછી ગાયનું ચામડું તેમના માંસથી ઉપસી જાય છે, ફરીથી ગરમ પાણી રેડાય છે અને પાછુ ટીપવામાં આવે છે. પછીથી મશીન દ્વારા ચામડું આખું ને આખુ` કાઢી લેવામાં આવે છે. જીવતા જાનવરનું આ ચામડું... મુલાયમ હાવાના કારણે તેમાંથી અનેલા પદાર્થોં પણ નરમ હાય છે અને આપણી ચામડાની આંખને સારા લાગે છે. નાની ઉંમરની ગાચાને આ પ્રમાણે રીબાવીને જે ચામડું કઢાય છે. તે વધારે નરમ હાય છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy