SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪] [ભગવતીસૂત્ર સારસંગ્રહ માનવાની શી આવશ્યક્તા માટે વર્તમાન સમયમાં જે ભાવ વર્તતો હોય, જીવ પણ તેવી રીતે સંધાશે. જેમકે – જે સમયમાં જીવને ક્રોધ વર્તતે હોય તે સમયે જીવ ક્રોધી છે પણ સંયમી નથી, મૈથુનભાવ વર્તતે હોય ત્યારે જીવ મૈથુન કમી છે. પણ વતી નથી જ્યારે સમતાભાવ રહેતે હેય ત્યારે જીવ પથમિકભાવને માલિક છે. પણ ઔદયિકભાવને નથી. જ્યારે જીવાત્માને કૃષ્ણલેશ્યા વર્તતી હોય ત્યારે જીવ દ્રવ્ય સંયમી છે પણ ભાવસંયમી નથી. અને જ્યારે શુદ્ધતર પદ્મ લેક્યા વર્તાતી હોય ત્યારે જીવ ભાવ સંયમી છે. આ પ્રમાણેનો ભાષા વ્યવહાર ઋજુસૂત્રનયને છે. પ્રસ્તુત પ્રશ્નમાં પણ હે ભગવન નૈરયિક હોય તે નરકમાં ઉત્પન થાય છે કે અનૈરિયમ હોય ? જવાબમાં–ચાવત જ્ઞાનેની હકીકત સુધી પ્રજ્ઞાપના સૂત્રમાં રહેલાં લેશ્યા પદને ત્રીજો ઉદેશે જેવા ભગવાને કહ્યું તે આ પ્રમાણે : નાર જ નરકમાં ઉત્પન્ન થાય છે અને નરકમાંથી નારક બહાર આવતા નથી!” - નયવાદાન્તરે જ ભાષાને આશય સમજવાનું હોય છે. કેમકે બોલનાર અને પૂછનારની વાત બરાબર સાંભળ્યા પછી અને તેનો આશય જાણ્યા પછી જ પ્રત્યેક વાતને વિચાર કરીને જવાબ આપવો જોઈએ. સમજ્યા વિના કેઈ પણ વાતને જવાબ દેવામાં આવે તે પરિણામ શૂન્યમાં આવે છે અને વૈર વિરોધ ઉભે થાય છે.
SR No.023133
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVidyavijay, Purnanandvijay
PublisherVidyavijay Smarak Granthmala
Publication Year1987
Total Pages614
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aagamsaar
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy